ક્ષમા વિરસ્ય ભૂષણમ દોહા
ક્ષમા વિરસ્ય ભૂષણમ દોહા
હે..જી.
વટ વચનને વેર સાચા શુરાના, સાથે ક્ષમા પણ વીરનું હથિયાર
દુશ્મનને પણ જે ક્ષમા આપે, એ જ છે ભારતનાં વીરની ઓળખાણ.
જોને....
"ક્ષમા કરતો અકબરને રાણો, અકબરે ન કરી ક્ષમા કરવાની દરકાર,
જેથી ડગલે ને પગલે પૂજાય રાણો પ્રતાપ, આજે અકબર ન દેખાય ક્યાંય."
જો.ને...
માંગે અરી ક્ષમા તોય શિરે વાર કરે, એ કહેવાય ગીધડાં સદાય
જેને ક્ષમા આપીને ખુદ સહન કર્યું. તોય એ સાવજ તરીકે આજ ઓળખાય."
હે..જી.
શૂરવીરો જ સમજે સત્તર વાર ક્ષમા કરનાર વીરલો હતો પૃથ્વીરાજ ચૌહાણ
એક જ વાર જીત્યો કપટથી, તોય ક્ષમા ન કરી શક્યો કાયર સુલતાન."
મારવા કરતાંય મહાન ગણાયો જગમાં એ વીર સદાય ક્ષમા દેનાર
તેથી 'ક્ષમા વિરસ્ય ભૂષણમ ' એ કહેવત બની જગમાં સાકાર.