કર્મફળ
કર્મફળ
મહેનતનો રોટલો ને આંગણામાં ખાટલો
બસ એજ છે સુખનો આનંદદાયક પોટલો,
નસીબ પર કોઈ દિ વાત તો છોડવી જ નહી,
નસીબ તો દરેક ને માટે સારું હોતું જ નહી,
જિંદગી ખાલી જીવીને આપણે શું કરીશું ?
તેને સફળ બનાવવા માટે મનમાં જિદ ધરીશું.
તારા કર્મને જ તું તારો આધાર સમજજે,
સપનાં જોવા કરતા મનમાં ધ્યેય ધરજે.
ભગવદ્ ગીતા સાર તને કહે છે,
કર્મનું ફળ હંમેશા મીઠું જ હોય છે.
