કળિયુગમાં જૂઠ્ઠાઓની માયાજાળ
કળિયુગમાં જૂઠ્ઠાઓની માયાજાળ
હે..જી..
"કળિયુગ આવ્યો કારમો પૂજાય ઝાઝાં પાખંડી નર નાર
નારી ચરિત છે ગહન ઘણું, પારખતા લાગે ઝાઝી વાર."
હે.. જી..
લટપટ પગ એ ઘરની ધરે, અટપટા બોલે ઘણાં એ વેણ
પિયુ સે જો જરી ખટપટ ભઈ સો ટપટપ ટપકે નેણલે નૈન."
જો. ને..
સત્પુરુષ જગમાં ગમે ઝાઝાં, કપટી કાગડા તણાં હોય માન
ઝાઝો જે બખાળો કરે, ખોટા પ્રેમમાં જે પાવરધા હોય."
હે . જી..
"કર્કશ વેણ કાયમ બોલે, કરે સદા સગુણી નાર હોવાની વાત
ઈ તો ગુસ્સામાં ગામ ગજવતી, એના પડછાયાથી ભાગે સહુ જોઈ લાગ."
જો. ને..
સઘળું સંકટ સાંખીએ કાઢી કર્મનો કે બીજાનો વાંક
પણ ભૂંડી જેની ભારજા દુઃખનો એના નહીં કોઈ પાર.
હે જી,
મૌન ભયો નર હંસલો, કાગડા કરે ભરબજારે હવે જોર
કોયલ બની નાર કપટી, હવે કાગડાઓને પણ છેતરે છડેચોક.