કાન્હાના ગુનાહ
કાન્હાના ગુનાહ
કામણ કર્યા આડાઅવળા છતાંય લોકો તને પૂજે,
કેવી રીતે લોકો કાનુડાને માન આપે ને પૂજે ?
પ્રેમ કર્યો રાધાએ પણ લગ્ન કર્યાં બીજી રાણીઓ સાથે,
રાધા ફરિયાદ કરતી નથી પણ સવાલ છે કા'ના માટે,
ચોરી કરે માખણની ને ગોપીઓ ફરિયાદ કરે,
યશોદા હંમેશા પુત્ર પ્રેમી બની રહે,
કામણ કર્યા આડાઅવળા છતાંય લોકો તને પૂજે,
કેવી રીતે લોકો કાનુડાને માન આપે ને પૂજે?