ઝાંઝવાનાં નીર
ઝાંઝવાનાં નીર
ઝાંઝવાનાં નીરથી ભીંજાતા માનવી,
વરસાદથી રહી જાય કોરાં કટ,
અહીં તો બધે છે કાગળના ફૂલો,
ને સુવાસથી છે સૌ પર,
રમતાં રમતાં અહીં નથ નથી ખોવાતી,
અહીં તો રાધા છે વ્રજથી પર,
અંતરના અજવાળા તો દૂર થઈ ગયા,
અહીં તો અંધાર પણ છે કોરોકટ,
માનવીનાં મૂલ તો મૂલવીએ શી રીતે ?
અહીં તો માનવ છે માનવતાથી પર.