ગુરુવાણી
ગુરુવાણી
લાગે વહાલી મને,
મારા ગુરુ માની વાણી,
મળ્યા જે દિવસથી,
સાંભળી અમૃત વાણી,
જેમણે શીખવ્યા,
સંસ્કૃતિના આચાર વિચાર,
તેમને જીંદગીભર પાયુ છે,
સારા કર્મોના વિચાર.
ભેદભાવના ભાળે એ ક્યાંયે,
સમાનતા જ્યાં ઉરમાં ઉભરે,
આનંદ ભરી દીધો છે દિલમાં,
ભાવના સૌના માટે ઉભરે,
અહીં ભણાય છે પાઠો,
એવાં ભક્તિના જ્ઞાનના,
સ્વાર્થ વિહીન થઈ સૌ મળતાં,
વહેતા ગુરુ જ્ઞાનમાં,
જે ગુરુમાં એ જન્મ ઉજાળ્યો,
ઋણ સદાયે રહેતું,
ઋણ ચૂકવવા કરી શકું,
જો આ જીવનને ન્યોછાવર,
એ દિલ કહેતું.
