ગાંધીજી
ગાંધીજી
ભારત જેવી પવિત્ર ભૂમિમાં જન્મ
લઈ ધન્ય થયો અવતાર.
ગુજરાતની શાન, ભારતની આન
એવાં લોક લાડીલા ગાંધીજી.
ભગાડયા અંગ્રેજોને ગુલામી માંથી
મુકત કરી માતૃભૂમિને.
એ ગાંધીજીને લાખો સલામ,
જેણે કર્યા દૂર નાત જાતનાં બંધનો.
નવી નિતીઓ, નવી રૂઢિઓ લઈને
બન્યાં છે તારણહાર.
સત્ય, અહિંસાને વળગી રહીને
કેટલાં કર્યા છે સત્યાગ્રહ.
સત્યનાં ઉપાસક, સ્વાવલંબી એવાં
ગાંધીજીને સત સત પ્રણામ.