ગાંધી બાપુ
ગાંધી બાપુ
જેમ લોકોને યાદ આવે સ્વતંત્રતા ઓગસ્ટમાં,
એમ લોકોને યાદ આવે બાપુ ઓક્ટોબરમાં,
જેમણે અહિંસાથી દેશને આઝાદી અપાવવામાં મદદ કરી,
લોકો એ જ દેશને ભૂલીને ગયાં છે વિદેશમાં,
દેખાય છે અલગ સમયની બલિહારી,
ગુલામી વેઠીને જાય લોકો વિદેશ કરવા ગુલામી,
શું ભારતનો રૂપિયો મોટો ન થઈ શકે ?
કેમ ડોલર કમાનાર ભારતમાં રૂપિયો ન કમાઈ શકે ?
આ માટે જ શું અપાવી હતી આઝાદી ?
ભારતનું યોગ બન્યું "યોગા" તરીકે ઉપયોગી !
બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યો ભારતને,
તો શા માટે બેઈમાની ન ભ્રષ્ટાચારનો ગુલામ છે ?
આજે અમુક વિદેશી ભારતીય ગુલામી ત્યાં કરે છે,
છતાંય આઝાદ ભારતનાં નેતાઓને સલામ કરે છે ?