દ્વિમુખી
દ્વિમુખી
આજે વિચાર ફરક્યો,
ગુરુ તો પાંડવ-કૌરવના એક જ હતા.
પણ શિષ્યમાં બે ભાગે કેમ પ્રસર્યા ?
આજે વિચાર ફરક્યો,
ગુરુનો તો એક ચહેરો જ હતો,
પણ શિષ્યની સમજણમાં અલગ કેમ નિખર્યા ?
આજે વિચાર ફરક્યો,
તાલિમ-આશ્રમ તો એક જ હતાં,
પણ મુગટ-ખેસમાં આટલા તફાવત કેમ ફરક્યા.