અહેસાસ ઈશકૃપાનો
અહેસાસ ઈશકૃપાનો
કોને ખબર કે હવે શું થશે ?
પ્રભુ, મારશે કે પછી જીવાડશે ?
કોરોના કેરા આ કપરા સમયે,
સંઘર્ષ જયારે પહોંચ્યો ચરમ સીમાએ,
ચમત્કાર થાય નહિ આજે કે કાલે,
એકતા, સંપ અને માણસાઈ સૌ લાવે,
કરી લો સત્કર્મો જવું પ્રભુ શરણે,
સમજીને ધરો આ જીવન પ્રભુ કાજે,
બનાવો હવે આજને જ તમે શ્રેષ્ઠ,
અહેસાસ ઈશકૃપાનો હર ક્ષણ થશે.