અભિનય
અભિનય
અભિનય ગળથૂથીમાંથી હોય છે,
જે સંબંધોમાં સ્વાર્થ માટે કરે છે,
મોટાં મોટાં કલાકારોને હંફાવે છે,
એવો બખુબી અભિનય કરે છે,
ભગવાન પણ થાપ ખાઈ જાય છે,
આવાં ભેજાબાજ માર્કેટમાં ફરે છે,
ચહેરા ઉપર મહોરું પહેરી ફરે છે,
અંદર અલગ બહાર ડોળ કરે છે,
ભાવનાઓની હાંસી ઉડાવે છે,
સ્વાર્થ ખાતર રમતો રમતાં હોય છે,
અભિનય કરીને રોદણાં રડે છે,
ગરજ સરી એટલે વૈદ વેરી છે.