વાણિયાનો વેપાર
વાણિયાનો વેપાર
એક વાણિયો પાંચ રૂપિયામાં રોટી વેચતો હતો. તેને રોટીની કિંમત વધારવી હતી પરંતુ રાજાની અનુમતિ વિના કોઈ પણ કિંમત વધારી શકતો ન હતો. એટલે તે રાજાની પાસે પહોંચ્યો, બોલ્યો રાજાજી ! મારે રોટીની કિંમત 10 રૂપિયા કરવી છે. રાજા બોલ્યો, તમે 10 નહીં, 30 રૂપિયા કરો,
વાણિયો બોલ્યો, મહારાજ ! તેનાથી તો હાહાકાર મચી જશે,
રાજા બોલ્યો, એની ફિકર તમે ન કરો, તમે 10 રૂપિયા કરી દેશો તો મારાં રાજા હોવાનો શો ફાયદો ! તમે પોતાનો ફાયદો જૂઓ અને 30 રૂપિયા કિંમત કરી દો.
બીજા દિવસે વાણિયાએ રોટીની કિંમત વધારીને 30 રૂપિયા કરી દિધી,
નગરમાં હાહાકાર મચી ગયો. નગરજનો રાજાની પાસે પહોંચ્યા, બોલ્યા, મહારાજ ! આ વાણિયો અત્યાચાર કરી રહ્યો છે, 5 રૂપિયાની રોટી 30 માં વેચી રહ્યો છે.
રાજા સિપાઈઓને બોલ્યો, તે ગુસ્તાખ વાણિયાને મારાં દરબારમાં હાજર કરો.
વાણિયો જેવો જ દરબારમાં પહોંચ્યો, રાજાએ ગુસ્સામાં કહ્યું, ગુસ્તાખ! તારી એ હિંમત કે તેં મને પૂછ્યા વિના કેવી રીતે દામ વધારી દીધા ! આ જનતા મારી છે તું એમને ભૂખે મારવા માંગે છે ! રાજાએ વાણિયાને આદેશ દીધો, કાલથી તું અડધા ભાવથી વેચીશ, નહીં તો તારું માથુ અલગ કરી દેવામાં આવશે.
રાજાનો આદેશ સાંભળતા જ પૂરી જનતાએ જોરથી.... મહારાજની જય હો...., જય હો... નારાઓથી દરબાર ગુંજી ઉઠ્યો.