Vrajlal Sapovadia

Abstract

4.0  

Vrajlal Sapovadia

Abstract

સૌરાષ્ટ્રના લોકોની કસોટી : સૌરાષ્ટ્ર ભાષા અને સૌરાષ્ટ્રીયન લોકો તામિલનાડુમાં

સૌરાષ્ટ્રના લોકોની કસોટી : સૌરાષ્ટ્ર ભાષા અને સૌરાષ્ટ્રીયન લોકો તામિલનાડુમાં

4 mins
248


સૌરાષ્ટ્ર પ્રદેશ પશ્ચિમ ભારતમાં ગુજરાતનો એક ભાગ છે જેમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, મોરબી વગેરે જીલ્લાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં વસતા કેટલા લોકોને ખ્યાલ હશે કે, સૌરાષ્ટ્ર ભાષા સૌરાષ્ટ્રીયન લોકો તામિલનાડુમાં બોલે છે ? તમને ખબર છે, સૌરાષ્ટ્ર કોલેજ મદુરાઈમાં આવેલી છે ? સૌરાષ્ટ્ર ભાષા દેખાવમાં તામિલ લિપિ જેવી, પણ શબ્દો ઘણાખરા ગુજરાતી હોય છે. લગભગ પાંચેક લાખ સૌરાષ્ટ્રીયન લોકો તામિલનાડુ ઉપરાંત, આંધ્ર, તેલંગણા, કેરલ અને કર્ણાટકમાં વસે છે. 

તો હા, આ સૌરાષ્ટ્રીયન લોકો હજારેક વર્ષ પહેલા સાચે જ ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસતા હતાં. દક્ષિણ ભારતમાં તેમનું સ્થળાંતર સોમનાથ મંદિરના ધાડ અને અપમાનને કારણે વારંવાર મુસ્લિમ આક્રમણોને કારણે થાય છે, ખાસ કરીને મહમૂદ ગઝની (ઈ. સ. 971 થી 1030) દ્વારા. રેશમ વણાટમાં જુના સમયમાં પણ તેઓ માહિર હતાં અને એટલે જ બિચારાઓને પોતાની કલા સાચવવા લૂંટારાના ત્રાસથી છૂટવા પોતાનું વતન છોડવું પડ્યું. કહેવાય છે ગઝની આવા કારીગરોના આંગળા અને હાથ કાપી નાખતો જેથી તેમની કલાનો અન્ય કોઈ ઉપયોગ ન કરી શકે. તેઓ 20મી સદી સુધી દક્ષિણ ભારતમાં વેપારી અને વણકરોના અગ્રણી ઔદ્યોગિક અને સમૃદ્ધ વેપારી સમુદાય હતા. જોકે હજુ તેમનાં વારસાગત ટેક્સટાઈલ કામકાજ ઉપરાંત અન્ય ઉદ્યોગ અને વ્યવસાયમાં જોડાયેલ છે. 

બ્રાહ્મણ, ક્ષત્રિય, બ્રહ્મક્ષત્રિય, પાલકર કે ખત્રી તરીકે ઓળખાતી આ પ્રજા હજાર વર્ષ પહેલાં પોતાની કલા કારીગરી અને સંસ્કાર લઈ બસ્સો વરસના રઝળપાટ પછી કોઈને કોઈ રાજાના આશરે દક્ષિણ ભારતમાં પંહોચે છે અને એટલે જ સૌરાષ્ટ્ર ભાષામાં ગુજરાતી ઉપરાંત મરાઠી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તામિલ શબ્દો જોવા મળે છે. તો પ્રશ્ન એમ પણ થાય કે તો તેઓ ગુજરાતી નહીં ને સૌરાષ્ટ્ર તરીકે કેમ ઓળખાય છે ? ઈતિહાસકાર પ્રો. કૃષ્ણમૂર્તિના મતે 10મી સદી સુધી 'ગુજરાત' હજુ ગુજરાત તરીકે સ્થપાયું નહોતું, પણ દ્વારકા, પોરબંદર, વેરાવળ અને ભાવનગરના દરિયાની આસપાસનો પ્રદેશ ત્યારે પણ સૌરાષ્ટ્ર તરીકે પરિચિત હતો.  

11મી સદીમાં સોમનાથ મંદિરના પતન પછી જ્યારે ગઝનીના મહમૂદે ભારત પર આક્રમણ કર્યું ત્યારે સૌરાષ્ટ્રીયનોએ સૌરાષ્ટ્રથી સ્થળાંતર કર્યું. એવું કહેવાય છે કે 13મી સદી સીઈ સુધી યાદવ રાજાઓના શાસન દરમિયાન સૌરાષ્ટ્રના લોકો દેવગીરી, હાલના મહારાષ્ટ્રના દૌલતાબાદમાં રહેતા હતા. 14મી સદીમાં યાદવોના પતન પછી તેઓ વિજયનગર સામ્રાજ્યમાં ગયા, તેની રાજધાની હાલના કર્ણાટકના હમ્પીમાં રાજાઓના આમંત્રણથી છે. વિજયનગર સામ્રાજ્યના વિસ્તરણથી 14મી સદીમાં સૌરાષ્ટ્રીયનો દક્ષિણ ભારતમાં આવ્યા, કારણ કે તેઓ ઉત્તમ રેશમી વસ્ત્રોના ઉચ્ચ કુશળ ઉત્પાદકો હતા અને રાજાઓ અને તેમના પરિવારો દ્વારા તેમને આશ્રય આપવામાં આવતો હતો. વિજયનગર સામ્રાજ્યના પતન પછી 16મી સદીના મધ્યમાં તંજાવુરના નાયક રાજાઓએ અને 17મી સદી દરમિયાન મદુરાઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને તિરુમલાઈ નાયક્કર પેલેસ પાસે સ્થાયી થવાની મંજૂરી આપવામાં આવી હતી.

હજાર વર્ષ દક્ષિણ ભારતમાં રહ્યાં એટલે તામિલ સંસ્કાર અને રીતભાત તો સ્વાભાવિક પણે તેમનામાં હોય જ, પણ તેઓ મોટાભાગે શાકાહારી છે, અને જન્મથી મૃત્યુ સુધીના વિધિવિધાન ગુજરાત-સૌરાષ્ટ્રના જાળવી રાખ્યા છે. સૌરાષ્ટ્રીયનો પરંપરાગત રીતે રૂઢિચુસ્ત અને નજીકથી ગૂંથાયેલો અને સમૂહમાં રહેવા ટેવાયેલ સમુદાય છે. તેઓ તેમના રિવાજો, રીતભાત અને સામાજિક માળખામાં આવશ્યકપણે ઉત્તર ભારતીય કે ગુજરાતી જેવા છે. પરંપરાગત રીતે, સંયુક્ત કુટુંબ તેમના માટે સામાજિક અને આર્થિક એકમ હતું. તદુપરાંત, સંયુક્ત કુટુંબની પેટર્નએ તેમને તેમની પરંપરાગત સંસ્કૃતિને યુવા પેઢી સુધી પહોંચાડવામાં મદદ કરી. શિવ, વૈષ્ણવ, સૂર્ય અને રામને પૂજતી આ કોમ આયંગર કે તેલુગુ બ્રાહ્મણ જેવો પહેરવેશ ધારણ કરે છે. 

સૌરાષ્ટ્રીયન મહિલાઓ તમિલ મહિલાઓ કરતાં અલગ રીતે સાડી પહેરે છે. અપરિણીત લોકો બંગાળી શૈલીમાં પહેરે છે, જ્યારે પરિણીત લોકો મરાઠી શૈલીમાં પહેરે છે. સૌરાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા આભૂષણોનો આકાર અને કદ તેલુગુ બ્રાહ્મણ મહિલાઓને મળતા આવે છે. આભૂષણો મોટાભાગે કિંમતી હીરા અને સોનાના બનેલા હોય છે. સ્ત્રીઓ પણ પુરૂષોની જેમ જ તેમના કપાળ પર સિંદૂરનું નિશાન લગાવે છે, પરંતુ લંબાઈમાં નાની અને તેમના માથાને વેણી અને ફૂલોથી શણગારે છે.

કેટલાક ઈતિહાસકારો માને છે કે 10મી અને 12મી સદી દરમિયાન સૌરાષ્ટ્રીયન કાપડના વેપારીઓએ જ દક્ષિણ ભારતમાં નિષ્ક્રિય રીતે પરિચય કરાવ્યો હતો. એવા દાવાઓ પણ છે કે ચોખા અને અડદની દાળને એકસાથે મિશ્ર કરીને પછીથી કેક બનાવવા માટે ઉકાળીને તેની ઉત્પત્તિ ગુજરાતમાં થઈ હતી.

અંગ્રેજોના શાસન દરમ્યાન આ કોમ ઉપર વ્યવસ્થિત અભ્યાસ થયો અને એક અલગ કોમ તરીકે સ્વીકાર થયો. ઉદ્યોગ, સીને જગત, રાજકારણમાં સક્રિય એવી આ કોમને આઝાદી પછી અનામતનો લાભ મળ્યો. મેં તો તમને પ્રાથમિક માહિતી આપી, અને હવે ગુગલના જમાનામાં માહિતી ક્યાં છૂપી રહે છે ? સર્ચ કરી તમે જાતે જ જાણી લ્યો, આ કોમનો સંઘર્ષ અને પ્રગતિ, તેમની ખાસિયતો, આગવી ઓળખાણ અને ઘણું બધું ! 


Rate this content
Log in

Similar gujarati story from Abstract