જૂન 1969
જૂન 1969
દરેકને સ્વતંત્રતા સમાન મળવી જોઈએ સ્વતંત્રતાનો હક દરેકને સમાન રીતે લાગુ પડે, કોઈ બે પુરુષ, પરસ્પર લગ્ન સબંધે બંધાય એમાં કંઈ ખોટું નથી. બેઉ એકબીજા જોડે સુરક્ષિત મહેસૂસ કરે છે ત્યારે આ કદમ ઉઠાવે છે. આઝાદીનો હક સૌને સમાન છે તો આ બાબતે ભેદભાવ શું કામ. . .
દરેક વ્યક્તિ પોતાના જીવનના નિર્ણય સ્વાતંત્ર્ય રીતે લઈ શકે છે. કોઈ સ્ત્રી સ્ત્રી એકબીજા સાથે લગ્ન કરીને સાથે રહી શકે છે આપણે જે વ્યક્તિ જોડે પોતાની જાતને ખુલ્લી મુક્ત મુકી શકીએ, પોતાની જાતને ક્યારે દંભના બિબામાં ઢાળવાની જગ્યાએ મુક્ત પોતાની જાતને ત્યાં આપણે આઝાદીનો અનુભવ કરતાં હોઈએ તો સાથે રહી શકીએ બે માણસ એ સજાતીય પણ કેમ ન હોય એમાં કંઈ જ ખોટું નથી.
જુનનો 1969 કાયદો એ સમાજના એવા વર્ગને આઝાદી આપી છે, કે જે સમાજ અને લોકો દ્વારા ત્યજાયેલ વર્ગ છે. આંદોલન પણ થયેલા તેમાં કેટલાક ગે અને લેસ્બિયનને બલિદાન આપ્યા છે, સમાજના ઠેકેદારોએ ત્યાં પણ પોતાના હાથકંડા અપનાવવાના ચાલુ કર્યા પણ જુન 1969નો કાયદો એ હતો કે સમલૈંગિક સબંધો ધરાવતી રહી હોય, એ વ્યક્તિ સાથે રહી શકશે, અને જીવન પણ વિતાવી શકશે. . . બહુ સંઘર્ષ બાદ મળેલી આઝાદીની કિંમત બહુ હોય છે, બલિદાન આપ્યા બાદ મળેલી પણ બહુ પ્યારી લાગે છે.
જ્યારે આપણે કંઈ મેળવવા માટે કંઈ ગુમાવ્યું હોય છે ત્યારે જે ફળ મળે છે એની કિંમત આપણે મન સોના કરતાં પણ અધિક હોય આ હાલ આપણી જ સોસાયટીના આ ત્યજાયેલા લોકો દ્વારા તરછોડાયેલા મિત્રોના હતાં. આપણા દેશના બંધારણે આ સ્વતંત્રતાનો હક આપ્યો છે પણ આ કાયદાને અમલમાં મૂકી જે સમાજના ઠેકેદારો થી પિડિત સમલૈંગિક જૂથને સ્વતંત્રતા મળી એનાથી વધુ બીજી ખુશી કહી હોઈ શકે.