"જખીણ" - એક અધૂરી ઈચ્છા
"જખીણ" - એક અધૂરી ઈચ્છા
અસ્વીકરણ (Disclaimer ) :-રજુ કરેલી વાર્તા/રચનામાં વાસ્તવિક સ્થળ અને તેને લગતા ઈતિહાસને વાપરવાની છૂટ લીધેલી છે અને સ્ત્રીના ભૂતની પરિકલ્પના માટે "જખિણ" શબ્દ જુદા જુદા પુસ્તકોના સંદર્ભથી વાપરેલ છે. રજુ કરેલી વાર્તા/રચનામાં આલેખાયેલ, નામો, પાત્રો, વ્યવસાયો ઘટનાઓ, અને ઘટના સ્થળ કે સમય ક્યાં તો લેખકની કલ્પનાશીલતા છે અથવા કેવળ કાલ્પનિક છે, લેખન કાર્ય કેવળ વાંચનાર – વિવેચકના મનોરંજન હેતુ માટે છે અને તે રીતે રચનાની માવજત માટેજ શબ્દો વપરાયેલ છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ કે સ્થળ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે/ગણવાનો રહેશે. તેમજ પ્રસ્તુત સામાજિક, ધર્મ કે રિવાજ કે માન્યતાની રજુઆત / સમર્થન અથવા વિરોધથી પર છે.
________________________________________________________________________________________________________
"જખિણ" - "અધૂરી ઈચ્છા"
મ્યુઝિયમની મુલાકાતે જઈ જૂની સંસ્કૃતિ અંગે માહિતગાર થવા માંગતા શોખીનો ઘણા હોય છે. આવા શોખીનોને મ્યુઝિયમમાં કોઈ તકલીફ નથી હોતી અને મ્યુઝિયમ સંચાલકો તરફથી પૂરતું માર્ગદર્શન અને માહિતી તકલીફ વગર મળતી હોય છે. ધારો કે ત્યાં આવા શોખીનની આજુબાજુથી કોઈ ભૂત, કે હવામાં તરતી કોઈ વ્યક્તિનો ડરામણો ચહેરો, બિહામણા પ્રાણીની પરછાઈ પસાર થઈ જાય તો ? શોખીન મુલાકાતીની હાલત શું થાય? જો કોઈને એમ લાગતું હોય કે એવા હોરર ચહેરાના ભ્રમથી વળી ડરવાનું શું? તો તેમની બહાદુરી ચકાસવા એકવાર સાચેજ આવી હોરર સ્ટોરીની પટકથા સર્જાતી હોય તેવી જગ્યાએ તેમને લઈ જવા પડે.આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં સ્થપાયેલા 'રોઝીકૃશન' નામના એક મ્યુઝિયમની વાત છે. શ્રીમાન હાર્વે સ્પેન્સર લુઈસ દ્વાળા સ્થાપિત ઈજિપ્શિયન શૈલીની આ ભવ્ય ઈમારત આજે પણ સમયની થાપટો ખાઈને ઊભી છે. શ્રીમાન હાર્વે સ્પેન્સર લુઈસ,વાસ્તવમાં એક તાંત્રિક હતા, તે અલૌકિક માન્યતાઓ, રહસ્યવાદ, આધ્યાત્મિકતા અને જાદુઈ સંસ્કૃતિના પ્રખર હિમાયતી હતા. ભૂતની વાર્તાઓ સાથે સંકળાયેલા વેમ્પાયર અથવા ભૂતિયા મહેલોમાં થતાં ભૂત અને ચૂડેલોના હલનચલન જેવામાં વિશ્વાસ રાખતા હતા. વાસ્તવમાં "રોસીક્રુસિઆનિઝમ" એ યુરોપમાં એક ૧૭મી સદી દરમ્યાન ચાલેલી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચળવળ હતી અને તે દરમ્યાન રચાયેલા ગ્રંથો અને સાહિત્ય દ્વાળા આમ માનવ સમુદાયથી વિસરયેલી અલૌકિક-પ્રકૃતિ અને અઘોર જગતની સમજ આપી હતી. ઉપરાંત શ્રીમાન હાર્વે સ્પેન્સર લુઈસ પેરાનોર્મલ પ્રવૃત્તિના ઊંડા જાણકાર અને તેમાં દ્રઢ પણે વિશ્વાસ ધરાવતા હોવાથી,તેઓએ સ્થાપેલ મ્યુઝિયમનું નામ " રોઝીકૃશન ઈજિપ્શિયન મ્યુઝિયમ" રાખેલું હતું.
અમેરિકના કેલિફોર્નિયા રાજયમાં સાન-ઓઝે શહેરના જગ પ્રખ્યાત રોઝ ગાર્ડનની પાસે આવેલા મ્યુઝિયમની ઈમારત ખૂબ જાણીતી છે. પાર્ક એવેન્યૂ સ્થિત, આવેલી ઈમારત આમ તો બની હતી ૧૯૨૧માં, જેનો ઉપયોગ ૧૯૨૮માં શરૂ થયો હતો. પિરામિડોનું ખોદકામ કરી એકઠી કરેલી ઈજિપ્શિયન (મિસર) સંસ્કૃતિના અતિ પ્રાચીન સંભારણા અહીં એકઠા કર્યા ત્યારે શ્રીમાન હાર્વે સ્પેન્સર લુઈસને સ્વપ્ન સાકર થયું લાગ્યું હતું. આવનારી પેઢીમાં સંસ્કૃતિનો વારસો ધબક્તો રહે તે હેતુથી શ્રીમાન હાર્વેનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમણે વસિયતદ્વાળા તેમના તમામ પૈસા આ મ્યુઝિયમને દાનમાં આપી દીધા હતા. આ ઈમારત ૧૦૦ વર્ષપૂરા કરવા જઈ રહી છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રી ફી મફતમાં હોવાથી શાળાઓનો મ્યુઝિયમની મુલાકાત માટે ધસારો હતો.
મ્યુઝિયમના ટાવરે ત્રણના ડંકા વગાડ્યા હતા અને ત્યાં ,વેનગાર્ડ પબ્લિક સ્કૂલના પ્રવાસી વિદ્યાર્થીઓના ચોવીસ ભૂલકાઓને લઈ સ્કૂલ બસે મ્યુઝિયમના સંકૂલમાં પ્રવેશ કર્યો. પંચાવન વરસની પ્રવાસ સંચાલિકા, માદામ 'મારિયા' ખૂબ બેચેની અનુભવતા હતા, રસ્તામાં નડેલા ટ્રાફિકને લીધે અહી પહોચવામાં એક કલાક મોડા હતા. મ્યુઝિયમમાં છેલ્લી એન્ટ્રી સ્લોટ બપોરે ત્રણનો હતો, જે વીતી ચૂકેલ હતો. તેમણે બસના ડ્રાઈવર જોહનને,વિદ્યાર્થીઓને બે ગ્રૂપમાં વહેચી તૈયાર રહેવાનું કહી, સીધા "રોઝીકૃશન મ્યુઝિયમ"ના રિસેસ્પ્સન કાઉન્ટર પાસે એન્ટ્રી ગ્રાન્ટ કરાવવા પહોચ્યા. મ્યુઝિયમના રેકટર 'જુલિયા'ના મેડમે એક નજર "વેનગાર્ડ પબ્લિક સ્કૂલ"ના લાયબેરિયન માદામ "મારિયા થોમસન"ના પહેચાન પત્ર ( આઇડેન્ટિટી કાર્ડ ) નાખી, તેઓએ જાણ્યું કે 'મારિયા' પુરાતન શાસ્ત્રના વિશારદ હતા, તે જોતા રેકટરે તરતજ મ્યુઝિયમના વોલીએંટર લીડરને બોલવ્યો અને ગાઈડ સ્ટાફને અડધો કલાક વધારે રોકવવાનું સુનિશ્ચિત કરીને, 'મારિયા' માદામને બાળકો બોલાવવા કહ્યું. માદામ 'મારિયા'એ 'જુલિયાના' મેડમનો આભાર માની તેમનું વિઝિટિંગ કાર્ડ લઈ, કોઈવાર તેમની સ્કૂલના મહેમાન બનવા આમંત્રણ પાઠવ્યું. અને 'જોહન'ને વિદ્યાર્થીઓના સમૂહને જલ્દીથી મ્યુઝિયમ આવવા તાકીદ કરી.
આખાય અમેરિકાના અન્ય મ્યુઝિયમની સરખામણીમાં કેલિફોર્નિયાના આ મ્યુઝિયમમાં મિસર સંસ્કૃતિની ઉત્કૃષ્ઠ કૃતિઓ હતી, માટે 'વેનગાર્ડ પબ્લિક સ્કૂલ' સંચાલક મંડળે બાળકો માટે અહીં મ્યુઝિયમ વોકનું આયોજન કર્યું હતું. મોડા પડવા છતાંય મંજૂરી મળતા 'વેનગાર્ડ સ્કૂલના' વિદ્યાર્થીઓ રોમાંચિત હતા.વેનગાર્ડ પબ્લિક સ્કૂલના, લાયબ્રેરીયન માદામ 'મારિયા',પોતે મિસર સંસ્કૃતિના અભ્યાસી, ઉપરાંત એક સારા વક્તા હતા. તેમણે રેકટર પાસેથી એક્ઝિબિટ અંગેની માહિતી પુસ્તિકા લઈ, મનોમન મ્યુઝિયમ વોક માટે રૂપરેખા ઘડી.બાર વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવા બસના ડ્રાઈવર 'જોહન'ને કીધું અને બાકીના બાર બાળકો ઉપર પોતે નજર રાખી,માદામ 'મરિયા'એ આ વરસની મ્યુઝિયમની મુલાકાત માટે જુદો માર્ગ પકડ્યો હતો."રોઝીકૃશન ઈજિપ્શિયન મ્યુઝિયમ"માં ભોંયરામાં , 'મમી' અને માણસના મરણ પછીની વિધિ અને રિવાજો અંગેની માહિતી દર્શાવતા ખંડો હતા . પહેલે માળે મિસરના લોકોએ વાપરેલ વાસણો, ઘરેણાં કપડાં જેવી વસ્તુઓ સચવયેલી હતી, અને બીજે માળે મિસર સંસ્કૃતિનો માનવ જીવનના વિકાસમાં આપેલો ફાળાના મહત્વ દર્શાવવાના ભાગ રૂપે ,તેઓને વાપરેલ કપડાં પહેરવેશના અવશેષ, વાસણો, આયુધો, રસાયણો અને તત્કાલિન સમયની ચિકિસ્તા પધ્ધતિ, તથા ભોજ પત્ર ઉપર રચાયેલું સાહિત્ય અને કળાના નમૂના અંગેની વિગતો માટેનો વિભાગ હતો. આમ માનવીના જીવન ક્રમ પ્રમાણે વિવરણ થાય તે હેતુથી, બીજે માળથી તેઓએ વોક ચાલુ કરાવી.
સામાન્ય રીતે આવા પ્રવાસોમાં, ઈતર પ્રવુત્તિના ગુણ મેળવવાની આશાએ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેવા પૂરતા આવતા હોય છે. પરંતુ આજે વાત અલગ હતી, માનવ જીવનની અતિ પ્રાચીન માનવ સંસ્કૃતિમાંની એક એવી મિસર સંસ્કૃતિના અવશેષોને નજીકથી નિરખવા મળવના હતા.મારિયા માદામની વર્ણન શક્તિ કહો કે તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ,મ્યુઝિયમના અન્ય મુલાકાતીઓ પણ હવે તેમની વોક સાથે જોડાઈ ગયા હતા. સ્કૂલના આ ચોવીસ વિદ્યાર્થીઓ સાથે બીજા મુલાકાતીઓનો 'જમેલો' નીચે ભોંયરામાં 'મમી' અને મિસર સંસ્કૃતિમાં મરણ પછીની વિધિ અને રિવાજો અંગેની માહિતી દર્શાવતા ખંડોમાં આવ્યો ત્યારે સવા ચાર વાગવા આવેલા,'મારિયા' માદામની કુનેહથી મોડી વોક ચાલુ કર્યા છતાં મ્યુઝિયમ નિયત સમય પ્રમાણે બંધ કરી શકાશે તેવા અંદાજે અને મ્યુઝિયમના રેકટર 'જુલિયના' અને રેગ્યુલર ગાઈડ અને વોલીએંટર સમૂહને રાહત હતી.
સૂર્ય પ્રકાશથી બચાવીને રોઝીકૃશન મ્યુઝિયમમાં ભોંયરામાં બેહદ અલભ્ય અને પ્રાચીન મિસર દેશના અવશેષો સચવાયેલા પડેલા હતા , અહીં હવે વોક એક એવા તબબકે આવી હતી કે જ્યાં સૌની કુતુહુલતા અંતિમ ચરણમાં હતી. અહીં પાચ હજાર વરસ પહેલાની મિસર-જીવન શૈલીને રી-ક્રિએટ કરી ભીંત ચિત્રો દ્વાળા રજુ કરાતા હોઈ, કુમળા બાલ માણસ ઉપર તેઓની ઊર્મિઓને અનુસાર ઉત્સુકતા છલકાતી હતી. માદામ 'મારિયા' પણ ચિત્રોનું શાબ્દિક વિવારણથી તેમના પ્રશ્નોનું સમાધાન કરતા હતા. આખાય ગ્રૂપમાં સાતમા ધોરણમાં ભણતી 'કેથેરીન' નામની છોકરી ખુબજ ચાલાક હતી, અને દરેક મહત્વની નોંધ 'મારિયા' માદામને પૂછી, ટપકાવતી જતી હતી.
વાતાવરણની વિષમતાની વિપરીત અસરોને નાથવા 'મમી' રાખેલા અંડર-ગ્રાઉન્ડ હોલમાં એર કન્ડિશન તેની ચરમ સીમાએ ચાલતું હતું અને,અહીં એક મહિલાના "મમી"ને જોઈ, 'કેથેરીન'ને તે મમીનો સ્કેચ દોરવાની લાલચ થઈ આવી અને 'કેથેરીન'ને હેતુપૂર્વક તેની ચાલ ધીમી કરી અને ખૂણે રોકાઈ ડ્રોઈંગ બૂકમાં પેન્સિલ સ્કેચ દોરતી હતી. તેને ખ્યાલ ના રહ્યો કે તેનું ગ્રૂપ અને મ્યુજિયમનો આખોય સ્ટાફ મ્યુજિયમ બંધ કરી રવાના થઈ ગયો હતો. હોલની નીરવ શાંતિમાં હવે મૂલકતીઓના અભાવે એર કન્ડિશનની અસર વધારે વર્તાતી હતી. સ્કેચ દોરવામાં વ્યસ્ત કેથેરીને ઠંડીનું લખલખું અનુભવ્યું. 'કેથેરીને' એક નજર હૉલમાં નાખી, તેને કઈ ખોટું થયેલાની દહેશત થઈ, અને કપાળે પરસેવો નીતરી આવ્યો. હોલની ચારેબાજુના ભીત ચિત્રો, પહેલા જે કળાના પ્રતિક લાગતા હતા, તે હવે 'મમી'ના ટોળાં વચ્ચે કેથેરીનને, એક બીહામણા "હોરર-સીન" જોતી હોય તેમ લાગતું હતું.તેણે બેક-પેક ઉઠાવી અને હોલની બહાર જવા દોડી પણ દરવાજા ડિજિટલ-લોક વાળા હોવાથી બંધ હતા, તેને પોતાની લાલચ અને મૂર્ખામી ઉપર ગુસ્સો આવતો હતો. પણ તે શું કરે ? તે અત્યારે મ્યુજિયમના ભોંયરામાં કેદ થઈ ચૂકી હતી. વધુ કઈ વિચારે તે પહેલા અત્યાર સુધી ચાલતી લાઈટો હવે બંધ થઈ હતી. છૂટી છવાઈ મોશન લાઈટ લબક-જબક થતી રહેતી હતી. રેડિયમ રંગોવાળા ભીંત ચિત્રો હવે ચમકારા મારી, આખાય હોલમાં ડરામણા ભૂતોની ટોળી દ્વાળા થતી જીવંત ચહલ પહલની અસર ઉપવવતા હતા.
'કેથેરીન' હવે બહાર નીકળવા માટે હોલમાં એક છેડેથી બીજા છેડે, ભાગ દોડ કરતી હતી. કેથેરીન'ને કોઈ ઈમરજન્સી કોલ બેલ જડતો ન હતો ! તેનો ભય હવે તેના મગજ ઉપર હાવી થયેલો હોવાથી. "SOS"ના ટેલિફોન, તેની નજરે ના પડ્યા, ત્યાં એકાએક કડાકા સાથે એક 'મમી'ની કાચની પેટી તૂટી અને તેમાથી વાંકી કેડ વારી ઘરડી મહિલાનું ભૂત ઊભું થતું જોયું. કેથેરીનને તે સમયે વાંચેલું યાદ આવ્યું કે આવા ઓબ્જેક્ટને અઘોર સમાજ "જખીણ" કહી બોલાવે છે. સગર્ભા કે રજસ્વલા અવસ્થામાં મૃત્યુ પામેલી, અથવા સૌભાગ્યવતી સ્ત્રી 'જખીણ' નામનું ભૂત બને છે.'જખીણ' ઘણું કરીને શ્વેત, રૂપેરી, વિખેરાયેલા વાળ ધરાવતી વૃદ્ધાના વેશમાં સૂર્યાસ્ત સમયે એકાંત જગ્યાએ વિચરતું હોય છે. તેને તે પણ આવ્યું કે કેટલાક લોકોના મત મુજબ ,આ પ્રકારનું ભૂત, ભલા માણસનું કલ્યાણ પણ કરતું હોય છે. ક્યારેક આ ભૂત મુસીબતોમાં ફસાયેલાને મદદ કરતું હોવાથી તે 'બળવંતી' નામે પણ ઓળખાય છે. મોટાભાગે તો આ 'જખીણ' જેને વળગે છે તેમનો યમ નગરીમાં વાસ નિશ્ચિત મનાય છે. 'કેથેરીન' મજબૂત મનોબળ ધરાવતી હતી પણ, અત્યારે એક સામટા ડરામણા વિચારોમાં જકડાયેલી હોવાથી , આખરે તે હૈયે હામ ખોઈ બેઠી હતી અને તે રડતી હતી. ત્યાતો એકા-એક આખો હૉલ કોઈ તીવ્ર પ્રકાશના પૂંજથી ઝળહળી ઉઠ્યો , હવે ફટાફટ બધી પેટીઓના મમી જીવંત થઈ હાથ પગ હલાવી પેટીની બહાર નીકળવા મથતા હતા, પણ તેઓથી બહાર નીકળાતું નહતું. 'કેથેરીન'ની આંખ હવે તે પ્રકાશથી ટેવાતાં , તેણે જોયું, વાંકી કેડ વારુ 'જખીણ' બનેલું ભૂત હાથ ફેલાવી, 'કેથેરીન'ને તેની પાછળ આવવા ઈશારો કરતું હતું.... અને 'કેથેરીન' વધેલા શ્વાસો-શ્વાસ અને નાડીના ધબકારા સાથે કોઈ અજાણ્યા ભૂતિયા, ડરામણું ડુંગર પરના ઘરમાં ખેચાઈને જતી હોય તેમ તેને લાગ્યું.....ડુંગર ઉપર પહોચતા, તે જેને ભૂતિઓ ડરામણો ડુંગર માનતી હતી તે હકીકતમાં તો એક ખંડેર પિરામિડ હતો અને તે પિરામિડની ટોચ પાસે કોઈ ઊંડી પગથિયાં ધરાવતી સુરંગના દ્વારે હતી... કેથેરીન હવે રીતસરની થાકીને હાંફતિ હતી, જાણે છેક મ્યુઝિયમથી અહીં સુધી પોતે ખુદ ચાલી આવી હોય! તેનું શરીર હવે તેણે સાથ નહોતું આપતું..તેણે બંધ થતી આંખે જોયું તો, તે વાંકી કેડવારુ "જખીણ" રડતી આંખે હજુ પણ તેની પાછળ સુરંગમાં આવવા ઈંજન આપતું હતું... પણ હવે 'કેથેરીન' લાચાર હતી...તે આખરે અક્લ્પ્ય ડરામણી વાર્તાના અજબ-ગજબ ફરતા પાનાં વચ્ચે માર્ગમાં બેભાન બની ઢળી પડી.
હવે આબાજુ 'વેનગાર્ડ પબ્લિક સ્કૂલ'ના પ્રવાસી વિદ્યાર્થીઓના બંને ગ્રૂપ પાર્કિંગ પ્લોટમાં પહોચ્યા, અને ડ્રાઈવર 'જોહને' બધા વિદ્યાર્થીઓને ફૂડ પેકેટ આપ્યા ત્યારે જોયું તો તેના ગ્રૂપમાં 'કેથેરીન' નહતી. તેણે ઉચાટ જીવે માદામ મારીયાને તે અંગે જણાવ્યુ. મારિયાને યાદ આવ્યું, 'કેથેરીને'તો ભોયરામાં તેમને ઘણા પ્રશ્ન પૂછ્યા હતા, મતલબ જો 'કેથેરીન' મ્યુઝિયમમાં હોય તે ભોયરામાંજ હશે. સમયની અગત્યતા વિચારી એક કરડી નજર દ્વાળા 'જોહન'ને તેની બેદરકારી બદલ ઠપકો આપ્યો. તરતજ માદામ 'મારિયા'એ મ્યુઝિયમના રેકટર 'જુલિયાના'ને ફોન કરી, દહેશત જણાવી કે તેમની એક વિદ્યાર્થની મ્યુઝિયમમાં રહી ગઈ લાગે છે. 'જુલિયાના' મેડમે જણાવ્યુ કે, "ચિંતા ના કરો, હું આવું છું, પણ મે એક્સપ્રેસ હાઈવે ઉપર એન્ટ્રી લઈ લીધી છે, અને પહેલી એક્ઝિટ ત્રીસ માઈલ પછી આવે તેમ છે" , મને આવતા આવતા કલાક થશે". "તમે બીજા વિદ્યાર્થીઓને કેન્ટીનમાં બેસાડો". "હું વોચમેનને ફોન કરુ છું. તે તમને કેન્ટીન ખોલી આપશે".
લગભગ પચાસ મિનિટમાં 'જુલિયા'ના મેડમ આવ્યા ત્યારે વોચમેન મ્યુઝિયમનું ફિજીકલ લોક ખોલી 'મારિયા' મેડમ સાથે મ્યુઝિયમના દરવાજે ઊભો હતો. 'જુલિયાના' મેડમે ગાડીમાંથી ઉતરી, ફિંગર પ્રિન્ટ અસેસથી ડિજિટલ-લોક ખોલ્યું. અને જળહળતી મ્યુઝિયમની લાઈટો વચ્ચે ત્રણેય નીચે ભોયરામાં ગયામાં, તેઓએ જોયું કે 'કેથેરીન' દરવાજા પાસે બેભાન પડેલી હતી. મારિયા માદામ તેની પાસે દોડી ગયા, અને જોયું તો કે'થેરીન'નું બદન સખત તાવથી ધખતું હતું. 'કેથેરીન'ને આવી નાજુક હાલતમાં જોતાં, 'જુલિયા'ના મેડમનું હૃદય દ્રવી,ગયું, અને બોલી ઉઠ્યા "ઈટ્સ ટેરિબલ હોરર ફોર અસ". તરત તેઓએ ૯૧૧ નંબર લગાવી હેલ્થ સેન્ટરની એમ્યુલન્સ બોલાવી. માદામ 'મારિયા'એ 'જોહન'ને બાળકોને લઈ પરત જવા આદેશ આપ્યો. અને તેઓ 'કેથેરીન'ને લઈ હોસ્પિટલ ગયા. અને 'કેથેરીન'ના ગારડિયનને સૂચિત કર્યા.
હોસ્પિટલમાં તાકીદની સારવારથી હવે 'કેથેરીન'નો તાવ નોર્મલ થઈ ગયો હતો અને હાર્ટ બીટ અને બીજી દૈહિક ક્રિયાઓ સામાન્ય હતી, પરંતુ હજુ 'કેથેરીન' ભાનમાં આવી નહતી. આખી રાતના વિવિધ ઉપચાર પછી સવારે પણ તેની સ્થિતિમાં કોઈ ફરક નહતો. સવારે માદામ 'મારિયા'એ 'કેથેરીન'ના પેરેન્ટ્સને ફ્રેશ થઈ આવવા કહ્યું , અને તેઓના આવ્યા પછી જ્યારે પોતે ફ્રેશ થઈ આવ્યા ત્યારે, હોસ્પિટલની શિફ્ટ બદલાયેલ હતી. અને સવારની શિફ્ટની રૂટિન મેટ્રને આવીને રિપોર્ટ જોઈ તેઓએ 'મારિયા' માદામ અને 'કેથેરીન'ના પેરેન્ટ્સને કહ્યું , મારા અનુભવને આધારે કહું તો તમારી દીકરીનો કેસ હવે મેડિકલ કેસ નથી રહ્યો, હવે આ પેરા-સાઈકોલોજીનો કેસ હોય તેમ મને લાગે છે. અને જો તમે તેની પાસે લઈ જશો તો, આ છોકરીની રિકવરી તરત જોવા મળી શકે તેમ છે. જો તમને મારામાં વિશ્વાસ હોય તો મારી મિત્ર મિસિસ 'ગ્રેમી' અહી ડાઉન ટાઉનમાં આવેલા 'એપલ વૂડ ચર્ચ'માં રહે છે.તેઓ એક વિખ્યાત 'પેરાસાઈકોલોજીસ્ટ' છે અને તેઓ સેવાભાવથી આવા પીડિતોની સહાય કરે છે. તેને ત્યાં આ છોકરીને લઈ જાવ. અને મારૂ નામ આપશો, તે ખૂબ માયાળું છે અને 'કેથેરીન'ને જરૂર એટેંડ કરશે.
'મારિયા' માદામ અને 'કેથેરીન'ના પેરેન્ટ્સ, બેભાન 'કેથેરીન'ને હોસ્પિટલથી લઈ, "એપલ વૂડ ચર્ચ"માંઆવ્યા ત્યારે મિસિસ 'ગ્રેમી' સવારની પ્રાથના પછી ચર્ચના ગાર્ડનમાં બેઠા હતા. અને આ લોકોને જોતાં, તેઓએ તરત કોઈ સાયકોલોજિકલ કોલ આવતો અનુભવ્યો. તેઓ તરતજ 'કેથેરીન'ને પોતાનાં કોટેજમાં લઈ ગયા. 'કેથેરીન'ને "ટ્રાન્સ"માં લીધી. અને 'હિપ્નોટાઈઝ્ડ' કરી 'કેથેરીન'ના અંતર-મનની વિગતો લીધી.અને પવિત્ર જળ તથા લસણની કળીની માળા પહેરાવી ઘેર લઈ જવા સૂચવી, બીજે દિવસે મળવા બોલાવ્યા. તે દિવસે, સાંજે કેથેરીન તેના ઘેર હવે નોર્મલ હતી ,તેને મગજમાં મ્યુઝિયમની ઘટનાની કોઈ સ્મૃતિ પણ નહતી અને આરામથી બીક અગર હસ્તી રમતી હતી. જાણે કશુજ બન્યું ન હોય.
બીજે દિવસે જ્યારે 'મારિયા' માદામ અને 'કેથેરીન'ના પેરેન્ટ્સ મિસિસ 'ગ્રેમી'ને મળવા ગયા ત્યારે 'ગ્રેમી'એ તેમનું મંતવ્ય અને રિસર્ચ અંગેની ઝીણવટભરી માહિતી આપતા જણાવ્યુ કે, વાસ્તવમાં 'કેથેરીન'ને 'સરાહ' નામની ઍક સ્ત્રીનું ભૂત જોયુ હતું, આ 'સરાહ' ભલી અને એટલી શરમાળ છે કે તેઓ તેની સાથે સંપર્ક કરી વાત પણ નહતા કરી શકતા. પણ તકલીફથી સ્નેહ વધારી , 'સરાહ' પાસેથી ફોસલાવી વિગત જાણી હતી તે મુજબ 'સરાહ' મિસર દેશમાં રહેતા 'એડમ' નામના એક 'ઉમરાવ'ને ત્યાં ચિત્રકારનું કામ કરતી હતી. એક દિવસ તેની દીકરી બીમાર હતી એટલે 'એડમ'ને ત્યાં 'સરાહ' ન જઈ શકી , તેથી 'એડમ'ના સિપાઈઓએ જબરજસ્તીથી 'સરાહ'ને 'એડમ'ની દીકરીનું અધૂરું ચિત્ર પૂરું કરાવવા તેડી ગયા અને તે દિવસે બિચારી 'સરાહ'ની વહાલસોઈ દીકરીનું ટૂંકી માંદગીમાં અવસાન થઈ ગયું. અને 'સરાહે' આકસ્મિત મોતથી ગુમાવેલ દીકરીનો વિરહ જીરવી ન શકતા 'એડમ'ના વોટરપુલમાં પડી આપઘાત કરેલો. આ બીનાથી દુખી થયેલા ઉમરાવે 'સરાહ'નું વિધિવત મમી-ફિકેશન કરવેલું હતું. પરંતુ આપઘાત કરી મરેલી 'સરાહ'નો આત્મા તેની દીકરીને એક વાર જોવા તડપતો હતો. આપણી 'કેથેરીન'નો દેખાવ તેની દીકરી જેવો હોવાથી, 'સરાહે' જ્યારે 'કેથેરીન'ને મ્યુઝિયમમાં જોઈ ત્યારે તેની હજારો વરસની અધૂરી પ્યાસ પૂરી થયેલી હોવાથી તેને કોઈ બક્ષિશ આપવા માગતી હતી. સરાહે, તે દિવસે સાંજે બક્ષિશ આપવા માટે આપણી 'કેથેરીન'ને "રોઝીકૃશન ઈજિપ્શિયન મ્યુઝિયમ"માં રોકી રાખી હતી. 'મિસિસ ગ્રેમી'એ વધુમાં જણાવ્યુ કે "જખીણ"–ભૂત યોનિથી મુક્ત થયેલી 'સરાહે' આપણી 'કેથેરીન'ને અમુલ્ય બક્ષિશ આપી છે. જે આપણે તલાશવી પડશે.ભૂત ડરામણા છે, તે વાત સાચી, પરંતુ ભૂત હંમેશા સાચુ બોલતા હોય છે ! સંસારમાં કોઈ ભાવમાં મન રહી જવાથી અવગતિ પામેલો જીવ, તેનું શમન ન થાય ત્યા સુધી તે પિશાચ, જીન, શેતાન, પ્રેત, ઝાંપડી, જ્ખીણ. બ્રહ્મરાક્ષસ, ખવીસ. જેવા બની પ્રેત યોનિમાં ભટકે છે, કોઈ ઉમદા કાળે, 'સરાહ'ની માફક તેમાથી કોઈ મુક્તિ પણ પામતું હોય છે.
તે પછીના વીકએન્ડમાં 'કેથેરીન'ના માતા પિતાએ તેઓને ત્યાં એક પાર્ટીનું આયોજન કર્યું હતો તેમાં "વેનગાર્ડ પબ્લિક સ્કૂલ'ના પ્રવાસી વિદ્યાર્થીઓ, તેમજ " રોઝીકૃશન ઈજિપ્શિયન મ્યુઝિયમ"ના રેકટર 'જુલિયાના' માદામ , સિટી હોસ્પિટલના 'મેટ્રન', મિસિસ 'ગ્રેમી' પણ આવ્યા હતા અને બધાએ ખૂબ આનંદ કર્યો, ત્યારે માદામ 'મારિયા'એ, 'કેથેરીન'ની ક્રાફ્ટ બૂક " રોઝીકૃશન ઈજિપ્શિયન મ્યુઝિયમ"ના રેકટર 'જુલિયાના' માદામને સુપ્રત કરી હતી જેમાં અસલ સોના રૂપાની શાહી અને મન મોહક કુદરતી રંગોથી દોરાયેલા અમુલ્ય ચિત્રો સુપરત કર્યા. આ ચિત્રો 'કેથેરીન'ની બેક-પેક માથી મળેલા, હતા. 'પેરાસાઈકોલોજીસ્ટ' મિસિજ 'ગ્રેમી'ના સંશોધન અનુસાર 'સરાહે' તેની "અધૂરી ઈચ્છા" પૂરી થવાથી 'કેથેરીન'ને આપેલી એક અમુલ્ય બક્ષિસ હતી.
--X--
સૂચન :- "ભૂત પિશાચના આ વિષય પર ઉપરોક્ત વાર્તા લખતાં મને વારંવાર પ્રભુસ્મરણ કરવાની ઈચ્છા થતી હતી … કારણ કે આ વિષય જ એવો ભયપ્રેરક છે કે નામ સાંભળતાં જ ભલભલાની છાતી ધડકી ઊઠે…. પરંતુ આ યોગ્ય નથી. આપણે જો આ રીતે વર્તશું, તો બિચારા અભણ-અશિક્ષિતોની શું દશા થતી હશે ! ખરેખર…આ અંગે ભય બિલકુલ નિરર્થક છે. કેટલાક વાચક મને કહેશે, "અરે આ ભૂતપિશાચને કારણે તો ઘણાએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, અને તમે કહો છો કે ભૂતપિશાચનું અસ્તિત્વ જ નથી."સાચું છે, તમારું કહેવું સોએ સો ટકા સાચું". પણ મહદ અંશે એવી ઘટનાઓ માત્ર ભૂત કે પિશાચોને કારણે નહીં, એના ભયને કારણે થતી હોઈ શકે. બાકી ચમત્કારો તો આજે પણ અનેક થતાં રહે છે, તેનો તાગ મેળવવો માનવી માટે અઘરી વાત છે. આપણે તે પરમ-કૃપાળુ પરમાત્માની "કુદરતદત્ત" અસ્ક્યામતોનું, "માત્ર" અને "માત્ર" નિમમિત બની અનાવરણ કરવાનો પ્રયાસ કરવાનો રહે છે.