હસ્તરેખા
હસ્તરેખા
આરવનો હાથ જોઈ જ્યોતિષી એ કહ્યું કે, "તારી હસ્તરેખામાં ભણતર અને પૈસાના યોગ નથી."
પરંતુ આજે આરવ શહેરનો સૌથી પ્રસિધ્ધ ડોકટર અને શહેરનો સૌથી ધનવાન વ્યક્તિ છે. તેને સાબિત કરી બતાવ્યું કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી. સફળતાના દરિયાને પાર કરવા પરિશ્રમ રૂપી નૌકા જોઈએ, અને મનના કિનારેથી નકારાત્મક વલણોનું લંગર છોડીએ, તો જ સફળતાનો દરિયો પાર કરી શકાય, સફળતા માટે હસ્તરેખા નહિ, પણ યોગ્ય દિશામાં, યોગ્ય સમયે, યોગ્ય રીતે મહેનત, ધીરજ, આત્મવિશ્વાસ અને ખંતથી કરેલું કાર્ય છે.