યુદ્ધ વિનાશકારી છે
યુદ્ધ વિનાશકારી છે
આકાશમાં ગરજતા વિમાનો ને,
ભયનો માહોલ ઘરઘરમાં,
અચાનક પડતો બોમ્બ ઘર પર
વિસ્ફોટ સાથે ઘર બનતા ખંડેર,
રોકકળ અને અસ્તવ્યસ્ત ઘર
જોતાં ફાટતી આંખો વૃદ્ધની,
ઘરની વ્યક્તિઓને જોયા લાશરૂપે
નથી નીકળતા આંસુ, બસ લોહી જ,
એક ગમગીની માહોલ છવાઈ જતાં,
વૃદ્ધ, બાળકોના તો જાન જતાં,
વિચારતો વૃદ્ધ કે આ કેવો છે માનવ ?
જાણે છે કે યુદ્ધ છે કેટલું ખરાબ,
છતાં પણ અહંકાર અને મદમાં,
કરતો રહે છે સર્વત્ર વિનાશ,
કંઈ કેટલાય ઘરો બન્યાં હશે ખંડેર
માનવતા પણ બનતી હશે શું ખંડેર !