સમુદ્રમંથન
સમુદ્રમંથન
કર્યું સમુદ્રમંથન દેવો અને દાનવોએ,
બનાવ્યો રવૈયો મંદરાચળ પર્વતનો,
બનાવ્યું દોરડું વાસુકીનાગનું,
એક બાજુ પકડે દાનવો,
ને બીજી બાજુ પકડે દેવો,
જબરદસ્ત ચાલ્યું મંથન અહીં,
થાય ઉથલપાથલ સમુદ્ર મહીં,
પહેલાં નીકળ્યાં ધન્વંતરિ દેવ,
આપ્યો આયુર્વેદ જગતને,
પછી નીકળ્યું વીષ હળાહળ,
ભગવાન શંકરે રોકી રાખ્યું કંઠમાં,
ને કહેવાયા નિલકંઠ,
પછી પધાર્યા લક્ષ્મીદેવી,
તેઓ વર્યા શ્રી વિષ્ણુ ભગવાનને,
રાહ જોવાતી રહી અમૃત કુંભની,
અંતમાં તે પણ નીકળ્યો,
ધર્યો વિષ્ણુએ મોહિનીરૂપ અવતાર,
છેતરી લીધાં દાનવોને,
ને કુંભ લીધો મેળવી,
દાનવોએ કરી શરત,
મહેનત અમે ઘણી કરી,
કુંભનાં પહેલાં હકદાર છીએ અમે,
વાપરી ચાલાકી વિષ્ણુએ,
કહ્યું, " તર ઉપલું આપી દેવોને,
રગડા જેવું ચોખ્ખું આપું અમૃત તમને,
અભાગી દાનવો ન સમજ્યા,
ખૂબ ખુશ થયાં હા પાડીને,
રાહુ દેવનું રૂપ ધરી બેઠો,
કપટથી આપી દીધું અમૃત બધું દેવોને,
ખાલી કુંભ બતાવ્યો દાનવોને,
ભયંકર થયું યુધ્ધ દેવ અને દાનવો વચ્ચે,
નાશ પામ્યાં દાનવો,
દેવો શક્તિશાળી બની પૂજાયા,
અસત્ય પર સત્યનો વિજય,
એ જ સમુદ્રમંથન.