લખતાં રહેવું કે નહીં
લખતાં રહેવું કે નહીં
હા, હું સાહિત્યકાર તરીકે ઓળખાઉ છું,
તો લખતાં રહેવું કે નહીં ? સવાલ જ નથી,
વિચારોનું ગઠબંધન ને શબ્દોનું સ્ફૂરણ,
મનમાં થયાં કરે, પછી સવાલ જ નથી,
બંધારણ પંક્તિઓનું ગોઠવાઈ જાય અંતરમાં,
પછી કવિતાનું થાય અવતરણ, સવાલ જ નથી,
યાદોની મહેફિલે અવનવા પ્લોટ સર્જાઈ જાય,
પછી વાર્તાનાં વિચારોનું મંથન, સવાલ જ નથી,
લખવાની એવી તાલાવેલીમાં મૂકાઈ જાઉં,
એક પછી એક મુદ્દાઓ લખાય નિબંધનાં, સવાલ જ નથી,
મારાં વિચારોને કેમ રોકું ? ઘુમરાયા કરે છે,
તો આજીવન લખતાં રહેવું, સવાલ જ નથી.
"સખી" શાહી ને કલમનો સંગાથ મારો જીવનભર,
શ્વાસોના શ્વાસમાં ગૂંથાયા કરે, સવાલ જ નથી.