શાને મૂંઝાય
શાને મૂંઝાય
સુખ અને દુઃખ તો આવે અને જાય
હે માનવ, તું આજે આમ શાને મૂંઝાય,
થવાનું જે લખ્યું છે એતો થવાનું જ
આપણે લાચાર, મારો હરિ કરે એ થાય,
દુઃખની આ ઘડી ક્યાં સુધી ટકવાની
સૌ સાથે મળી લડીએ, થાકી થોડું જવાય,
પોતાના હોય કે પારકા, માણસ તો છીએ
સેવા કરી લેવી જોજો તક ચૂકી ન જવાય,
'સ્નેહી' કહે દિનાનાથ રાખશે સૌની લાજ
રાખો ભરોસો, આમ હિંમત ન હારી જવાય.
