શત શત નમન
શત શત નમન
ભારતના અમર વીર જવાનોને શત શત નમન છે
વીર શહીદોના બલિદાનોને લીધે દેશમાં અમન છે,
માં ભોમની રક્ષા માટે કાંટાની પથારી પર જે સૂતા
એ વીર શહીદોને લીધે આજે આ મહેકતો ચમન છે,
ઈકલાબ જિંદાબાદનાં નારા સાથે મોતને વ્હાલુ કર્યું
એ વીર શહીદો માટે તો દેશ જ તન, મન અને ધન છે,
સુખદેવ, રાજગુરુ અને ભારતમાંનો એ લાલ ભગત છે
જેના બલિદાન થકી દેશમાં આઝાદીનો વાયો પવન છે,
'સ્નેહી' કહે અમર રહો ભારતમાંના એ વીર બહાદુરો
મારા આ શબ્દો નથી, અર્પણ શબ્દરૂપી શ્રદ્ધાસુમન છે.
