રાવણ બનવું એટલું સહેલું નથી
રાવણ બનવું એટલું સહેલું નથી
તે રૂપવાન, ગુણવાન, મહા તેજસ્વી, મહા ઓજસ્વી, બુધ્ધિમાન બ્રાહ્મણ, શિવભક્ત, વેદોનો જ્ઞાતા અને મહાવિદ્વાન હતો...!
છતાં એક જ ભૂલથી એ ખરાબ ચિતરાયો...!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નથી...!
એ ના હોત તો રામાયણ જ ના થઈ હોત..! રામનાં ઉજ્વળ ચરિત્રને ઉભારવામાં રાવણનો બહું મોટો ફાળો...!
રામાયણમાં રાક્ષસ તરીકે પંકાઈને સીતાજીને હાથ પણ ના લગાડ્યો...!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નો'તું ...!
એ ના હોત તો વિભિષણની સારપ ઉજાગર જ ના થઈ હોત...! શ્રીરામને હનુમાનજીથી ભેટો જ ના થયો હોત...!
સારપને ઉજાગર કરાવવા માટે ખરાબ દેખાયો..!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નો'તું ...!
મંદોદરીની ભક્તિમાં ભંગ ના પડે એટલે પોતાના જ હાથની નસને વીણાનો તાર બનાવનાર એ રાવણ હતો...!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નો'તું ...!
રાક્ષસી માતા અને ૠષિ પિતાનું સંતાન હોવાથી સદૈવ બે પરસ્પર વિરોધી તત્વોથી એનુું અંત:કરણ વલોવાતું રહેતું, એ વેદના જે સહન કરે એ જ જાણે...!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નો'તું...!