પુનઃસર્જન - ૨૭
પુનઃસર્જન - ૨૭
વિસાત તો માત્ર એક વિચારની જ છે !
અજબ કતૂહલ ભર્યું બાળમાનસ મહી,
ઉછળતા લોહીમાં ભર્યો ઉત્સાહ જેમ !
નિઃસ્વાર્થ પ્રેમ ને નિર્ભેળ ભોળપણાનું,
કુદરતી ચિત્રનું સર્જન ઈશ્વરે કર્યું એમ !
આશા અને ઉત્સાહ તો હોય ભીતરથી,
શાશ્વત તારુણ્ય મન સિવાય બીજે ક્યાં ?
મૃદુતા વિચારશક્તિની ઉભરી આવે મુખે,
શરીર પરની કરચલીઓ હસી ઊઠે ત્યાં !
અનેકોનેક શતાબ્દીઓથી મનુષ્યજાતિની
વિચારરૂપી શાળમાં વણાય અને પહેરાય,
દીર્ઘકાળથી પહેરેલા પ્રતિકૂળ વસ્ત્રો તજી
ફરી ફરી પૂર્ણ મનુષ્યનું પુનઃસર્જન થાય !