પરમતત્વ
પરમતત્વ
ભારેખમ નામ અને મોટા મોટા શાસ્ત્રોથી એ અલગ છે,
ઈશ્વર વસે છે સહુ માં, ઈશ્વર આપણી લગોલગ છે,
બોલાવો ઈશ્વરને ગમે તે નામથી, એ છે પરમતત્વ તરફનું ડગ,
હોય જેને સાચી શ્રધ્ધા પરમતત્વમાં, એ લોકોનું અલગ જગ છે,
બધામાં દેખાય ઈશ્વર તો એ બને સાચો સત્સંગ છે,
સહુનું ભલું ઇચ્છો જગમાં તો એ પ્રાર્થનાનાં તરંગ છે,
બોલાવો ઈશ્વરને ગમે તે નામથી, એ છે પરમતત્વ તરફનું ડગ,
નૈતિકતા અને માનવતાથી જીવીએ તો ઈશ્વર આપણી સંગ છે.