પ્રકૃતિ હતી
પ્રકૃતિ હતી
ધર્મ અને અધર્મની પ્રસ્તુતિ હતી,
કુરુક્ષેત્રમાં દેહોની આહુતિ હતી.
કર્યો અન્યાય દ્રૌપદીના હર્યા ચીર,
અધર્મી કૌરવોની આ પ્રકૃતિ હતી.
આપ્યો સાથ સારથી બની યુદ્ધમાં,
વિશ્વરૂપ શ્રીકૃષ્ણની આકૃતિ હતી.
કૃષ્ણ મુખે કહેવાય શ્રીમદ ગીતાજી,
આપણી પૌરાણિક સંસ્કૃતિ હતી.
મહાભારત ગ્રંથ વાસ્તવમાં બારીશ,
અન્યાય સામે લડવા જાગૃતિ હતી.