નારી તું નારાયણી
નારી તું નારાયણી
જગત જનની બનીને સાર-સંભાળ રાખતી નારી;
મમતા મહી નિજનાં બાળને પોષતી નારી,
વીરાના મુખ કેરું સ્મિત બનીને સોહાતી;
પતિનાં જીવનની સહિયારી રહીને હરખાતી,
આંખમાં અશ્રુને છુપાવી પરને હસાવતી;
રાખતી સર્વ સામે સમદૃષ્ટિ, તે ન્યારી બનતી,
વાત્સલ્ય અને મમતાની સાચી હિમાયતી છે;
નશ્વર સંસારને નવસર્જનમાં બદલતી રહે છે,
સફળતાનાં શિખરને સરતાજ કરનારી;
જન-જનમાં શક્તિનું પ્રતીક બનનારી.
