મનોમંથન
મનોમંથન
દરેક દુઃખદર્દ કાયમ હૃદયમાં સંઘર્યા,
અસહ્ય ઘા અગણિત, કોઈને ના કહ્યા.
સાથી-સંગી, સહયોગી અનેકો બન્યાં,
કિન્તુ મનથી સદૈવ શને અળગા જ રહ્યા.
રોજ બરોજ મુલાકાત કરતા ગયા,
છતાં પણ, એકલતાનાં મોજાં જ વહ્યા.
કહેવું'તુ ઘણું, શબ્દો ગળે અટકી ગયા,
ભાષા આંખોની અહીં કોણ સમજી શક્યા ?
પોતાના માન્યા ત્યાં જ હ્રદયાધાત થયા,
પારકાઓ પણ ત્યારે ક્યાંથી બાકાત રહ્યા.
વહેતા અશ્રુઓ ત્યાને ત્યાંજ થીજી ગયા,
ત્યજી લાગણીઓ ને આઘાત સહી ગયા.