મૈત્રી દિવસ
મૈત્રી દિવસ
*શુભ મૈત્રી દિવસ*
અંતરના અંતરથી સ્નેહના સરોવર સુકાતા નથી,
સમયના વંટોળે સાચા સંબંધો કદી ક્ષીણ થતા નથી.
મિત્રતા તો આત્માને સ્પર્શતી મૌન પ્રાર્થનાનો પ્રકાશ છે,
જે જીવનના દરેક અંધકારમાં અવિરત ઝળહળતો વિશ્વાસ છે.
દીપ્તિ ઈનામદાર, અમરત, વડોદરા
