Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahendra Rathod

Drama

3  

Mahendra Rathod

Drama

મારાથી એમને કશું કે'વાય.....?

મારાથી એમને કશું કે'વાય.....?

1 min
270



એતો એમના મનને માનીને ચાલે,

મનને ગમે એવું એ એકલા મ્હાલે,

એ ધારે તો દિવસે તારા ટમકાવે,

એ ધારે તો ખાલી ઘૂઘરા ઘમકાવે,

એમની વાતમાં કેમ કરી બોલાય

તમેજ કહો કે,

મારાથી એમને અમથુય કશું કે'વાય.....?


એ તો વગર વાદળે વરસાદ લાવે,

પાનખરમાં પણ કોયલને બોલાવે,

એ ધારે તો કોલસો પણ ચમકાવે,

એ ધારે તો વગર વાતે મલકાવે,

એમના વિચારો કેમ કરી સમજાય

તમે જ કહો કે,

મારાથી એમને અમથુય કશું કે'વાય.....?


એ તો શેકેલા પાપડ પાછા શેકાવે,

હાથમાંના મોતી દરિયામાં ફેંકાવે,

એ ધારે તો વડલે કેરી રોજ પકવે,

એ ધારે તો વગર તાલે સૌને નચવે,

એમના ભાવ કોઈને ના સમજાય

તમે જ કહો કે,

મારાથી એમને અમથુય કશું કે'વાય.....?


Rate this content
Log in