STORYMIRROR

Bharat Parmar

Inspirational

3  

Bharat Parmar

Inspirational

કરેલા કર્મો નડે છે

કરેલા કર્મો નડે છે

1 min
139

રંક જન બિચારા ભૂખે મરે છે,

ને અમીરોને ત્યાં દીવા બળે છે,


આલીશાન બંગલા ખાલી રહે છે,

ને કેટલાક બેઘર થઈ ટળવળે છે,


ગુંડા મવાલી કેવા જલસા કરે છે,

ને નીતિવાન માણસ દુ:ખે મરે છે,


મહાન માનવ નમ્ર થઈને રહે છે,

ને ઘમંડી ખુદ ખુદા થઈને ફરે છે,


આમ આદમી રાત દિન રળે છે, 

ને આખલાઓ ખેતર ચરી વળે છે,


એ કહે છે, સાથે ક્યાં કંઈ આવે છે,

ને એ જ હાય હાય કરતા ફરે છે, 


કરેલ કર્મો અહીં જન જનને નડે છે,

ને એજ 'વાલમ' ભોગવવા પડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational