કોરોના
કોરોના
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ભાગો ભાગો ભાગો કોરોના આયો વણઉકેલાતી બિમારી સાથે લાયો, કરોડો લોકો ના મોતનો કારણ આયો ને લાખો ના સપનાઓ ચકનાચૂર કરનાર કહવાયો,નાના હોય કે મોટા હરકોઇ ની ઝિંદગીની ક્રિયાઓ બદલી એને, રોજ કામ કરતા લોકોની ઝિંદગી પણ નવરી કર નાખી એને, 'તુ તારા ને હુ મારા રસ્તે' વાક્ય ને સત્ય કરયુ, એકબીજાથી દૂર રાખી જીવનનું કડવું સત્ય કહયુ,
પણ ભગવાન જે કરે એ સારા માટે કરે એમ કહવાય છે ને તો તેમ.....આ કોરોના ના લીધે પરિવાર સાથે રહવાનો મોકો મડયો, ના રમાતી લુડો ને પત્તાનિ રમતો મા એમનો સાથ મળ્યો, કદી ના કરવાની ઇચ્છા થતી કસરત કરવાનો ટાઈમ મડયો, ને કદી યાદ પણ ના આવતા મિત્ર નો નંબર જડ્યો, ને કદી રસોડામા પગ પણ ના મુકતા વ્યક્તિ ને કાઈ બનાવાનો ચસકો જાગ્યો, ને ચસકાના રસિકો ને એની બુરી આદતમાંથી નીકળવાનો રસ્તો પણ આપ્યો, મારા કવિ બનવાના સપનાને વેગ પણ આપ્યોં ને અને મારા જેવા બીજા કેટલાય સપનાઓ ને નવો આકાર આપ્યો.....અરે જો જૂઓ ને તો આવો તો કેટલોય ફરક પડ્યો છે દુનિયાના ઘર ઘરમા ને આ ઘર જેના પર રહે છે એ પર્યાવરણમાં હવા ને પાણી કેટલા સાફ થયા ને પ્રદુષણ થયુ કેટલુ ઓછું, કચરો ઓછો પેદા થયો ને જનજીવન પણ થયું ઓછું........આ બધાંની વચ્ચે મારુ તો એજ માનવુ છે કે રાખીયે પ્રભુ પર શ્રદ્ધા ને થાય બધુ સારુ માનવતા રાખી બધેજ આ જીવન ફરી બનાવીયે નિરાલું !