કળિયુગનું જાદુ-જીવન
કળિયુગનું જાદુ-જીવન
કળિયુગનો માનવ જીવનને જાદુ સમજી બેઠો;
જાદુની માફક માનવ જીવનને નચાવ્યા કરતો,
કળિયુગનો માનવ જીવનને....
જાદુગર અનેક નવા ખેલ બતાવે છે;
માનવનો ચીડિયો સ્વભાવ સૌને સતાવે છે,
કળિયુગનો માનવ જીવનને...
જાદુગર જાદુથી ઘર,પંખી,પરી બતાવતો રહે છે;
માનવ તો આજે બોલે ને કાલે બદલાય જાય છે,
કળિયુગનો માનવ જીવનને...
જાદુગર તો જાદુની છડી ઘૂમાવી જાદુ કરે છે;
માનવ તો હૃદયમાં કાતિ રાખી ષડયંત્ર રચે છે,
કળિયુગનો માનવ જીવનને.
