STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

કારણ

કારણ

1 min
1

રમકડાં વેચ્યાં, જેણે બાળપણમાં 

ખામી શું હોય એની સમજણમાં 


અકલમંદો શું વિચારતા થઇ ગયા ?

એવું શું કહી ગયો હું ગાંડપણમાં ?


એવું શું પામી ગયા છેતરીને લોકો ?

ગુમાવે છે શું માણસ ભોળપણમાં ?


ખરા સમયે આવીને જે ખડા થયાં

થતાં નથી કંઈ,એ મારા સગપણમાં


અધૂરી જો રહી એ નાદાનીની મજા 

અફસોસ એનો થશે શાણપણમાં


કારણ વગર જ ગઝલ લખુ તો ય

એમને તો ફક્ત રસ છે કારણમાં








 



Rate this content
Log in

Similar gujarati poem from Romance