STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

કારણ શું હશે ?

કારણ શું હશે ?

1 min
235

ભેદી ભીતરની ભેખડો, આ આંખ ઝરણ બની વહે, તોયે આ દિલ તરસ્યું રહે,

કારણ શું હશે ?


આ અમાસની અંધારી રાત જેવું જીવન છે,

તોયે સૂરજ બની ઊગી શકાતું નથી,

કારણ શું હશે ?


ભીતર વેદના લાખો ભરી, હૈયું એના થકી ભારી,

તોયે હોઠનું ચૂપચાપ રહેવાનું,

કારણ શું હશે ?


આજીવન તો કોઈ સાથ ના આપ્યો,

મરણ વખતે કાંધો આપવાનું,

કારણ શું હશે ?


શ્વાસ તો એની મેળે ચાલ્યા કરે,

રોજ મરીને પણ મરી નથી શકાતું,

કારણ શું હશે ?


પવનથી સુરક્ષિત કરવા દિવાની રચ્યું કવચ અમે,

તોયે દીવો સળગી ઉજાસ આપી ના શક્યો,

કારણ શું હશે ?


દિલથી જ માંગી હરેક દુઆ ઈશ્વરના દરબારમાં,

તોયે કબૂલ થતી નથી,

કારણ શું હશે ?


દિલ આપીને દર્દ લીધું અમે,

તોયે કેમ સાથ પામી શકતા નથી એનો,

કારણ શું હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy