જાગરણના ઉજાગરા
જાગરણના ઉજાગરા
વાય જો તારા પ્રેમના વાયરા,
તો કરું જાગરણના ઉજાગરા,
જેના માટે કરું છું હું ઉપાસના,
એ તમે જ છો શિવજી મારા,
તમારા માટે છોડું ભોજન મારા,
આવીને પહેરાવો મને વરમાળા,
નથી જોયતા આભૂષણ સારા,
પામવા છે બસ વા’લ તમારા,
આજે તો હુંય જાગીશ આશિક,
કરીશને જાગરણના ઉજાગરા.