એકલતાનો ડર
એકલતાનો ડર
સતત કોઈ કાર્યમાં મળતી નિષ્ફળતા એકલતા તરફ દોરી જાય છે,
એકલતામાં માનવી ચીડિયા સ્વભાવનો અને ક્રોધિત બની જાય છે,
એકલતામાં માનવીને કોઈનો ડર નથી હોતો,
એકલતા માનવીની સૌથી પ્રિય સાથી બની જાય છે,
એકલતામાં માનવી દરેક સંબંધથી દૂરી બનાવી લે છે,
એકલતા માનવીને ભીતરથી ખોખલો બનાવતી જાય છે,
એકલતામાં માનવી અંધકારને સ્વીકારી ઉજાસને તરછોડે છે,
એકલતામાં રહેતો માનવી અન્યના જીવનમાં સ્વયંનું મહત્વ ઘટાડતો જાય છે.
