STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

ડાઘા રહી ગયા

ડાઘા રહી ગયા

1 min
241


ન રહ્યું કોઈ જ નિશાન રાજા અને રજવાડાનું,

સંગ્રહસ્થાનોમાં બસ એમના વાઘા રહી ગયા !


પ્રણય ભંગ પછી ભેગા થયા એક દિવસ એ,

જરા અમથી ઓળખ કાઢી તો આઘા વહી ગયા !


બહુ ખાસ નથી અમે પીડાયા વિરહના દર્દથી,

એની જ યાદોના ઔષધોથી અમે સાજા થઈ ગયા !


એના દિલના દરિયામાં જેવી ઉતારી દીધી કશ્તી,

પળવારમાં જ એ વિશાળ ને અમે નાના થઈ ગયા !


શું પરિશ્રમ નહિ કર્યો હોય પરવરદિગારે,

શીતળતા તો આપી ચાંદને, પણ ડાઘા રહી ગયા !


-જનાબ આદિલ મન્સૂરી સાહેબની એક પ્રખ્યાત ગઝલ ઉપરથી તરહી રચના..

દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયા,

ઝાકળ ઉડી ગયું ને ડાઘા રહી ગયા...


Rate this content
Log in

Similar gujarati poem from Drama