ભર ઉનાળે ઉજાણી થાય છે
ભર ઉનાળે ઉજાણી થાય છે
સંબન્ધ તાણાવાણા ખૂબ નરમ હોય છે;
આ નરમાશ જાય તો ઘરમા જ ઉકળાટ થાય છે.
સમજણની એક કેડી પડી જાય દિલ મહી;
તો સંબન્ધમા ભર ઉનાળે ઉજાણી થાય છે.
એક તાંતણો તુટે જ્યારે સંબન્ધમા વિશ્વાસનો;
ત્યારે વગર ચોમાસે વાવાજોડાનો ઉદભવ થાય છે.
કોઇ જ્યારે આંખે વળગીને દિલમા ઉતરે ત્યારે;
જાગતા જ સપનાઓનુ ગગનમા ઉડ્ડ્યન થાય છે.
નવરાયના સમયમા હળવાશની પળો ભળે છે;
એ સમયે હદયમા પ્રેમનુ ઉત્થાન થાય છે.
હદયથી હદયના બન્ધનમા અણબનાવ હોય તો;
એ સંબન્ધનુ તો પ્રેમ જ એક ઉકેલ થાય છે.
