ભોળા શંકર
ભોળા શંકર
વિના કારણ કરુણા કરે ભોળા શંકર.
જે કોઈ પંચાક્ષરને સ્મરે ભોળા શંકર.
વસી ગિરિ કૈલાસ રામકથા જે કરે ,
જીવમાત્રને એ આવકારે ભોળા શંકર.
માર્કંડેયને આયુષ દેનારા દાતા શિવ ,
કદી ઓછું ન હોય ભંડારે ભોળા શંકર.
જળાભિષેક માત્રથી રીઝનારા દેવ જે ,
દેવ દાનવ ભેદ ના વિચારે ભોળા શંકર.
સ્વીકાર્યું કાલકૂટ સમુદ્ર મંથને સહેજે,
ખુદ કાળ જેનાથી થરથરે ભોળા શંકર.