અંતરમેળાપ
અંતરમેળાપ
સમયે ફાળવી આપ્યો સમય સુખનો,
ખુદની સંગ વાતચીત ને મનોમંથનનો,
અંતરમન સાથેના મેળાપનો, માનસિક શાંતિનો,
મનગમતી પ્રવૃત્તિનો, મનગમતા સપનાનો,
‘સમય નથી’, એ સવાલનો જ અંત,
સમય જ સમય છે, આંખબંધ કરી મગ્ન થવાનો,
બસ ચાર દીવાલોને સુરક્ષા કવચ બનાવવાનો,
સાવચેતીને જ સમજદારી માનવાનો.