આવું કેમ બને ?
આવું કેમ બને ?
આખેઆખો લાક્ષાગૃહ બળે ને,
અર્જુનની એક લટ પણ ન બળે.
આવું કેમ બને ?
ઝેરવાળું ભોજન ભીમ જમે,
મૃત્યુને બદલે અમરત્વ મળે ?
આવું કેમ બને ?
ભરુંનાં ભાલાથી ભાણેજ (અભિમન્યુ) ભૂમિ પર ઢળે.
રણભૂમિ પર,રણછોડ મામા (કિશન) મૌન સેવે.
આવું કેમ બને ?
બાળપણમાં, બાળા સીતા, બાણથી રમે.
ને એજ સીતા રામની રાહે લંકામાં દિવસો ગણે.
આવું કેમ બને ?
માતા કુંતાનાં બે પુત્ર રણમેદાનમાં સામસામા લડે.
કવચ કુંડળવાળો કર્ણ, ધરા પર ઢળે,
અર્જુન વિજય હાંસલ કરે.
આવું કેમ બને ?
રાખી સત્તા દુર્યોધનને હાથમાં, મોકલ્યાં પાંડવોને વનમાં.
પાપી રાજ ભોગવે ને, કૃષ્ણની બેન ઠોકર ખાઈ જંગલમાં
આવું કેમ બને ?
ભૂમિ પર જન્મ લઈ ભગવાન,
પાપીઓથી ધરાને બચાવવા.
ધર્યો દશાવતાર સત્ય, સ્ત્રીને ઋષિને બચાવવા.
પાપીઓને હણ્યાં છતાં,પાપી જગમાં જોવા મળે.
આવું કેમ બને ?
એક જ ઘરમાં, કથાકાર ને સાહિત્યકાર ભેગા ભળે.
એક પુરાણની કથા કરે, બીજો સાહિત્યની વ્યથા ધરે.
એક ઘરમાં બે કલાકાર જોવા મળેે.
આવું કેમ બને ?
