આઝાદી
આઝાદી
અંગ્રેજોની અનીતિ વધી ને જનતા ગઈ ત્રાસી
ગુલામીથી ગળાડૂબ થઈને જનતા ગઈ ત્રાસી,
બાપુ ગાંધીની આગેવાની નીચે આઝાદી લીધી માંગી,
નહેરૂ ને પટેલના સાથમાં બાપુએ ચળવળ શરૂ કીધી,
ઠેર ઠેર બાપુએ સભાઓ યોજી ને જનતાને જગાડી દીધી,
દેશના નવ યુવાન, નવ લોહિયાએ હાકલ ઉપાડી લીધી,
સત્ય, અહિંસાના માર્ગે પર ચાલવાની બાપુએ નેમ લીધી,
વિના ખડગ વિના બંદૂક બાપુએ આઝાદી લીધી,
અહિંસક હતી આપણી લડાઈ, અંગ્રેજોએ હત્યા કીધી,
ભગત સિંહ, સાવરકર ને આઝાદે એમાં શહીદી વ્હોરી લીધી.