માણસ બનાવ્યો ,
માણસ બનાવ્યો ,
ઇશ્વરે જેને આજે માણસ બનાવ્યો ,
તેણે ઇશ્વરને જ પછી કેદ કરાવ્યો .
પોતાને અનુકુળ એવા અર્થ કરીને ,
ધર્મના મૂળભુત સિધ્ધાંતને જ બદલ્યો .
ધર્મના જુદા જુદા વાડા રચીને ,
ધર્મને નામે અંદરોઅંદર ઝઘડ્યો .
મનવાંછિત સઘળા ભોગો ભોગવવા ,
વેદ ઉપનિષદના સઘળા મંત્ર ભૂલ્યો .
મંદિરને પછી એણે બનાવ્યું માર્કેટ ,
ઇશ્વરને જ લાંચ રૂપી પ્રસાદ ધર્યો .
છે જેની પાસે જગ આખાનો ખજાનો ,
તેને પણ ઊભો ભીખારીની જેમ રાખ્યો .
સુખ મેળવવા લાઇનમાં ઊભેલા લોકોએ ,
માગી માગીને એને થકવી જ નાખ્યો .
જોઇએ ના કશું કોઇ પાસેથી તેને 'જશ' ,
છે માત્ર એ ભાવ નો કેવળ ભૂખ્યો