વીડંબના
વીડંબના
વીડંબના
પહેલી એપ્રિલ નો અનોખો દીવસઅને વર્ષ
સન ૨૦૩૨.
સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટે વિશ્વમાં કંઈક એવું બન્યું, જેનો કોઈ વૈજ્ઞાનિક, કોઈ જ્યોતિષી કે કોઈ ધર્મગુરુ અંદાજ પણ લગાવી શક્યા નહોતા .
પૃથ્વી ના ઉત્તર ગોળાર્ધ મા લોકો જૂઠું બોલવાની ક્ષમતા ગુમાવી બેઠા.
જે વિચાર મનમાં હોય , એ જ હોઠ પર આવી ઉદભવી જતો.
સૌથી પહેલાં મોટો હાહાકાર ઘરોમાં મચ્યો.
"આ ચા કેવી લાગી?" પત્નીએ તેના વર ને પ્રેમથી પૂછ્યું.
"વરે કહ્યું, ખરેખર કહું તો, ગઈ કાલની ચા વધારે સારી હતી."
પાંચ સેકન્ડનું મૌન...
પછી આખા મહોલ્લામાં દેકારો અને કાપરકાબી તૂટવા નો અને વાસણો ખખડવાનો અવાજ સંભળાયો.
---
એક ઘરમાં બાળક સ્કૂલ જવા તૈયાર થતું નહોતું.
માએ ધમકી આપી, "નહીં જાય તો હું રડી પડીશ."
બાળકે શાંતિથી કહ્યું,
"મમ્મી, તમે રડશો શકશો જ નહીં. તમે તો મોબાઇલમાં રીલ્સ જોવા થી બહાર નહિ રહી શકો ."
માતા પાસે કોઈ જવાબ નહોતો.
---
ઓફિસમાં બોસે પૂછ્યું,
"મારા નેતૃત્વ વિશે તમારો શું અભિપ્રાય છે?"
એક કર્મચારી ઊભો થયો.
"સર, તમે નિર્ણય પહેલાં અમારી સલાહ માંગો છો, પણ નિર્ણય તો પહેલેથી લઈ ચૂક્યા હોવ છો."
બીજાએ ઉમેર્યું,
"અને દર મીટિંગમાં અમારો સમય વધારે બગાડો છો."
બોસે પહેલી વાર મીટિંગ દસ મિનિટમાં પૂરી કરી.
---
વિધાનસભામાં વિરોધ પક્ષે સરકારની પ્રશંસા કરી.
સરકારે પણ સ્વીકાર્યું કે કેટલીક યોજનાઓ કાગળ પર વધારે સુંદર લાગે છે.
ટીવી એન્કરો વચ્ચે પહેલી વાર પાંચ સેકન્ડનું મૌન છવાયું.
કારણ કે કોઈ પાસે વધારીને બોલવા માટે શબ્દો જ નહોતા.
---
સાંજે લગ્નમંડપમાં વરરાજાને જાનૈયાએ પૂછાયું,
"શું તમે તમારી મરજીથી આ લગ્ન કરો છો?"
વરરાજાએ જવાબ આપ્યો,
"મારી મરજીથી તો હતીજ નહીં... અને હવે ના પાડવાની હિંમત પણ નથી."
કન્યાએ તરત જ કહ્યું,
"મારી સ્થિતિ પણ લગભગ એવી જ છે."
થોડી ક્ષણ માટે આખો મંડપ શાંત થઈ ગયો.
પછી બંને હસી પડ્યા.
જીવનમાં પહેલી વાર તેઓ એકબીજા સામે સંપૂર્ણ સાચા હતા.
---
આખા વિશ્વમાં આ દિવસે માત્ર એક જ વ્યવસાય ફૂલ્યો-ફાલ્યો...
મનોવૈજ્ઞાનિકોનો.
કારણ કે લોકો હવે સત્ય સાંભળતા તો હતા, પણ સહન કરી શકતા નહોતા.
અને પછી...
મધરાતે બાર વાગ્યે બધું ફરી પહેલાં જેવું થઈ ગયું.
લોકો ફરી જૂઠું બોલી શકતા થયા.
પરંતુ બીજા દિવસે એક અજબ ઘટના બની.
લોકોએ નોંધ્યું કે ગઈકાલે જે સંબંધો તૂટી ગયા હતા, તે ખોટા હતા.
અને જે સંબંધો બચી ગયા હતા...
તે હવે ક્યારેય તૂટવાના નહોતા.
એક વૃદ્ધે પોતાના પૌત્રને કહ્યું—
"બેટા, લોકો કહે છે કે દુનિયા જૂઠાંથી ચાલે છે. એ સંપૂર્ણ સાચું નથી.
દુનિયા થોડાક સત્ય, ઘણા વિશ્વાસ અને અસંખ્ય સંવેદનશીલ મૌન પર ટકી છે.
દરેક સત્ય બોલી દેવું બુદ્ધિ નથી, અને દરેક સત્ય છુપાવી દેવું પ્રેમ નથી.
સાચું ડહાપણ એ છે કે કયું સત્ય ક્યારે, કોને અને કેવી રીતે કહેવું."
એ જ માનવજીવનની સૌથી મોટી વિડંબના છે.
ઇતિહાસે એ દિવસને નામ આપ્યું—
"એક દિવસ બધાએ સત્ય બોલ્યું."
પરંતુ માનવજાતે એ દિવસમાંથી એક જ પાઠ શીખ્યો—
સત્ય માત્ર બોલવાની વસ્તુ નથી; તેને પ્રેમ, કરુણા અને વિવેક સાથે વ્યક્ત કરવાની કળા જ માનવતાની સાચી ઓળખ છે.
ત્યારે એક વૃદ્ધે પોતાના પૌત્રને કહ્યું—
"બેટા, લોકો કહે છે કે દુનિયા જૂઠાંથી ચાલે છે. એ સંપૂર્ણ સાચું નથી."
દુનિયા થોડાક સત્ય, ઘણા વિશ્વાસ અને અસંખ્ય સંવેદનશીલ મૌન પર ટકી છે.
દરેક સત્ય બોલી દેવું બુદ્ધિ નથી, અને દરેક સત્ય છુપાવી દેવું પ્રેમ નથી.
"સાચું ડહાપણ એ છે કે કયું સત્ય ક્યારે, કોને અને કેવી રીતે કહેવું."
એ જ માનવજીવનની સૌથી મોટી વિડંબના છે.
ઇતિહાસ કદાચ એ દિવસને નામ આપશે કે
"એક દિવસ બધાએ સત્ય બોલ્યું."
પરંતુ માનવજાતે એ દિવસમાંથી એક જ પાઠ શીખશે કે
સત્ય માત્ર બોલવાની વસ્તુ નથી; તેને પ્રેમ, કરુણા અને વિવેક સાથે વ્યક્ત કરવાની કળા જ માનવતાની સાચી ઓળખ છે, ત્યારે તે દીવસ સાર્થક થયેલો લેખશે.
