શ્રદ્ધા
શ્રદ્ધા
શ્રદ્ધા હોય ત્યાં પૂરાવાની ક્યાં જરૂર છે. અને પૂરાવાની જરૂર હોય ત્યાં શ્રદ્ધાનું શું કામ? શ્રદ્ધા ના કોઈ રૂપ રંગ નથી હોતા. તમારા દિલની સાચી ભાવના છે. શ્રદ્ધા હોય તો પથ્થરમાં ભગવાન છે અને શ્રદ્ધા ના હોય તો ભગવાન પણ પથ્થર જ છે. શ્રદ્ધા એ વારસામાં નથી મળતી એ તો તમારા દિલ નો અહેસાસ છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક સાચો ભાવ છે. શ્રદ્ધા અને વિશ્વાસ સિક્કાની બે બાજુ છે જેમકે હૂં લખુ છું પુરી શ્રદ્ધાથી અને તમે વાંચો છો એ મારો વિશ્વાસ છે. ભાવના વિના શ્રદ્ધા અને શ્રદ્ધા વિના ભાવના અધૂરા છે.......!