મનનાં વિચારો
મનનાં વિચારો
આપણું આ મન જ દ્રષ્ટા છે. મન મજબૂત તો હિમાલય પણ નડતો નથી.. આપણું મન સારું તો દુનિયા સારી છે. આ મન એ છે જે પાંગળા ને પર્વત ચઠાવે છે અને આ મન જ છે આંખો વગરના ને લખતાં શિખવાડે છે.
સુખ અને દુઃખમાં મોટો ફરક નથી, જેને મન સ્વીકારે એ સુખ અને જેને મન અસ્વીકારે એ દુઃખ. ગમે એટલી ફાઈવ સ્ટાર હોટલમાં બેસી જમતાં હશો પણ મન નહીં હોય તો એ બધું ખાવાનું બેસ્વાદ જ લાગશે. અને મન હશે તો ઢાબા પર ના ખાવામાં બત્રીસ પકવાનો સ્વાદ આવશે.. માટે મનમાં જેવી ભાવના હશે એવી દુનિયા દેખશે.