માનવ આકૃતિ
માનવ આકૃતિ
બ્રહ્માજીએ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું. એમાં એક માનવ આકૃતિ પણ બનાવી એનાથી ખુશ થયા. છતાં કંઈક ખૂટતું લાગ્યું એણે બીજીપણ માનવ આકૃતિ બનાવી અને એમાં થોડી નાજુકાઈ,નિર્મળ પ્રેમ ,મમતા,માયા જેવા વિશેષ ગુણો મૂક્યા. પહેલી આકૃતિમાં બહાદુરી,તાકાત જેવા વિશેષ ગુણો હતા જ. પરંતુ એ બીજી આકૃતિની સરખામણીએ વામણા લાગતા હતા. આ બીજી આકૃતિ એ “મા”મા એ ઈશ્વર નું બીજું સ્વરૂપ છે. માની મમતાની અન્ય કોઈ સાથે સરખામણી થઈ શકતી નથી. એક સ્ત્રી બાળકને જન્મ આપે છે. એ પણ સર્જનહાર છે. આજે જો કે સ્ત્રીઓની પોતાની માન્યતાઓ બદલાય રહી છે. જેથી ઘણે અંશે સમાજને નુકસાન થઈ રહ્યું છે.