અનોખી ગોઠડી
અનોખી ગોઠડી
આજુબાજુ રહેતા શાન્તાબા અને કાન્તાબા બન્ને જુવાનવયે વિધવા થયેલા પણ ભક્તિ અને એકમેકના ગોઠડીનાં સહારે જીવન વ્યતીત કરતાં હતાં.
રોજ ઓટલા ઉપર બેસીને સવારથી સાંજ સુધીની દરેક જાતની ગોઠડી કરતા અને આનંદથી જીવી રહ્યા હતા પણ અચાનક શાન્તાબાનું દેહાંત થયું અને કાન્તાબા આ જોઈને પોક મૂકીને રડવા લાગ્યા ને બોલવા લાગ્યા હવે હું કોની જોડે ગોઠડી કરીશ અને પછી બેભાન થઈ ગયા.