વૃદ્ધાશ્રમ ?
વૃદ્ધાશ્રમ ?
કહાની છે આતો જીવંત સમયની,
નથી કોઈને આજે જરૂરત પણ એની,
વહાવી હશે જેણે વહાલોની સરિતા,
નથી સંતાનો જેની કદર પણ કરતા,
એવા આતમના ભવના દુઃખી આ,
હંમેશાં અંતરથી દુવાઓ જ કરતા,
માની નસીબની સઘળી આ મહતા,
જીવન સુખેથી વ્યતીત જ કરતા,
પરંતુ ખરેખર સુખી તો નથી આ,
ભીતરના દાવાનળથી એ જલતા,
ભલે ને રહે એ સ્વજનોની સંગે,
છતાંયે ના એકલતાની શિકાયત કરતા,
સંસારની કેવી વરવી કરુણતા,
સંતાનને આ જન્મદાતા જ નડતા,
ખાતા લથડિયા કદી પડતાં આખડતાં,
મનડાનાં આળા મૂંગી વેદનાઓ રડતાં,
તેના થકી આવા ભવનો(વૃદ્ધાશ્રમ) બનતાં,
જે માતા પિતાના દિલે કારમો ઘા કરતા !