વાણી
વાણી
વાણીની મીઠાશ વિષે ઘણુંબધું કહેવાયું છે. કે વાણી મીઠી રાખો. કોઈને કાંઈ કહેવું હોય તો મીઠાશથી કહો. પણ જે વાણીમાં સ્વાર્થ અને ઝેર ભરેલું હોય એ વાણી તમને સારી અને મીઠી કઈ રીતે લાગવાની એ કહો. અને તમે જો કોઈપણ વ્યક્તિને નહિ ગમતાં હોવ તો તમે ગમેતેટલી મીઠાશથી વાત કરશો તો પણ તમે એ વ્યક્તિને સારા નથી જ લાગવાના. અને જે સમજું હશે તે તમે કડવું બોલશો તો પણ તેને તમે સારા જ લાગવાના કેમકે એ સમજે છે કે એની પાછળ તમે તેની ભલાઈ જ ઈચ્છો છો. જરૂરી નથી કે જેની વાણીમાં મીઠાશ હોય તે તમારૂં હિતેચ્છુ જ હોય.
ઘણીવાર મીઠું બોલનારા તમારૂં જેટલું બગાડે ને તેટલું તો કોઈ ના બગાડે. હા, જે ખુશામતથી ખુશ રહે છે તેને જરૂરથી વાણીની મીઠાશ ગમશે. બાકી જેને પોતાનાં મતલબથી જ મતલબ હોય તે તો ક્યારેય મીઠાશથી પણ નથી સમજતાં. માટે દરેક વખતે વાણીની મીઠાશ જ કામ નથી કરતી. કદાચ કોઈને આ નહિ પણ ગમે, પણ આ હકીકત છે.